ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર નાલાના કામ પૂરા થઈ ગયા હોવાથી રસ્તા ખોલવાની માંગ


SHARE







મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર નાલાના કામ પૂરા થઈ ગયા હોવાથી રસ્તા ખોલવાની માંગ

મોરબીથી વાંકાનેર નેશનલ હાઈવે નાલાઓના કામ પૂરા થઈ ગયેલ છે ત્યારે રાહદારીઓ માટે તાત્કાલીક ખુલ્લા મુકવા માટે પાલિકાના સભ્ય દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે 

મોરબી પાલિકાના સભ્ય શ્રીમતી જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા મોરબી વોર્ડ નં .૪ ના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ શિરોહીયાગોતમભાઈ સોલંકીકાઉન્સીલર મનસુખભાઈ બરાસરાગીરીરાજસિહ ઝાલા અને ઉપપ્રમુખ મોરબી જીલ્લા ભાજપ અનુ. જાતી મોરચો બળવંતભાઈ સનાળીયા તથા ટ્રાન્સપોર્ટર અને સમાજ સેવક હર્ષદભાઈ વામજાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેનેશનલ હાઈવે ઉપર લાલપરરફાળેશ્વર અને મકનસર ગામ પાસે નેશનલ હાઈવે ઉપર બનાવવામાં આવેલ નાલાના કામ એકાદ વર્ષથી પૂરા થઈ ગયેલ છે છતાં નાલા ઉપર રાહદારીઓ તથા વાહનોને ચાલવા દેવામાં આવતા નથી જેના કારણે હાઈવે ઉપર વાંરવાર ટ્રાફીક જામની સમસ્યાઓ ઉભી થાય છે અને ડાયવર્જન પણ બરાબર ન હોવાના કારણે અકસ્માતનો સતત ભય રહે છે મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર જે વધારાનો ટ્રાફીક થાય છે તેનુ મુળ કારણ આ બંધ પડેલ નાલા છે જેથી કરીને તેને તાત્કાલિક ખોલવામાં આવે તેવી માંગ કરી છે






Latest News