મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા સતવારા સમાજના યુવાનો


SHARE











મોરબીમાં વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા સતવારા સમાજના યુવાનો

મોરબીના માધાપર અને માધાપર વાડી વિસ્તારના સતવારા સમાજની આસ્થાનું પ્રતીક એવા રામજી મંદિરે ભીમ અગિયારસથી ભીમ અગિયારસ સુધીમાં વર્ષ દરમિયાન વાડી વિસ્તારમાં વસવાટ કરતા સતવારા સમાજના જેટલા પણ દીકરાઓના લગ્ન થયા હોય તે તમામ વરરાજાઓ વર્ષો જૂની પરંપરા મુજબ જેઠ સુદ પૂનમના દિવસે સામૂહિક દર્શન કરવા માટે રામજી મંદિરે આવ્યા હતા અને ભગવાનના દર્શન કરીને પોતાના સુખી દાંપત્યજીવનની કામના કરી હતી આ તકે રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી દરેક વરરાજાઓના દાંપત્ય જીવનમાં સદાય એકબીજા પ્રત્યે પ્યાર અને વિશ્વાસની ધારા કાયમ વહેતી રહે અને તમામનું દાંપત્ય જીવન ખુશીઓથી મહેકતું રહે તેવી પ્રાર્થના કરવામાં આવેલ હતી અને ત્યારે ટ્રસ્ટ વતી ધર્મેન્દ્રભાઈ કંઝારીય, શાંતિલાલભાઈ સોનગ્રા અને મોહનભાઇ પરમાર દ્વારા તમામને શુભકામના પાઠવવામાં આવી હતી






Latest News