મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના દેવીપુર ગામે કાકાના દીકરાએ નોંધાવેલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને યુવાન ઉપર છ શખ્સોનો હુમલો


SHARE







હળવદના દેવીપુર ગામે કાકાના દીકરાએ નોંધાવેલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને યુવાન ઉપર છ શખ્સોનો હુમલો

હળવદ તાલુકાનાં દેવીપુર ગામે રહેતા યુવાનના કાકાના દીકરાએ નોંધાવેલ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખીને છ શખ્સો દ્વારા ધારીયુ, ધોકા અને પાઇપ વડે હુમલો કરીને માર મરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાન સહિતના ત્રણ વ્યક્તિઓને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ યુવાને છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં દેવીપુર ગામે રહેતા પરષોતમભાઈ નાનજીભાઈ તારબુંદીયા જાતે દલવાડી (૪૫)એ અંબારામભાઈ ઉકાભાઈ, વશરામભાઈ ત્રીભોવનભાઈ ધારીયા જાતે પરમાર રહે. રવાપર રોડ બજરંગ સોસાયટી મોરબી, ભગવાનભાઈ ઉકાભાઈ ધારીયા જાતે પરમાર રહે. ટીકર રણ, બળદેવભાઈ ત્રીભોવનભાઈ રહે. રવાપર રોડ મોરબી હસમુખભાઈ અંબારામભાઈ રહે. દેવીપુર અને પ્રદિપભાઈ ભગવાનભાઈ ઘારીયા પરમાર રહે. ટીકર વાળાની એસએમે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના કાકાના દિકરા નારાયણભાઈ દેવજીભાઈ તારબુંદિયા રહે. દેવીપુર વાળાએ આરોપી હસમુખભાઈ અંબારામભાઈ ધારીયા રહે. દેવીપુર વાળા વિરૂધ્ધમા લેન્ડ ગ્રેબીંગનો કેસ કરેલ છે જેનુ મન દુખ રાખીને અંબારામભાઈ ઉકાભાઈએ તેના હાથમા રહેલ ધારીયુ ફરીયાદીની ડાબી આંખ ઉપર મારતા ઈજા કરેલ હતી તેમજ આરોપી વશરામભાઈ ત્રીભોવનભાઈ ધારીયાએ ફરિયાદીને ડાબા હાથમા કોણી ઉપર માર માર્યો હતો અને અન્ય આરોપીઓએ લોખંડના પાઈપ, ધોકા વડે ફરિયાદી અને સાહેદ ચંદુભાઈ તેમજ અમ્રુતભાઈને માર માર્યો હતો અને તમામ આરોપીઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૧૪તથા જી.પી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News