મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના માટેલ રોડ ઉપર કારખાનામાં ઉંચાઇએથી પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના માટેલ રોડ ઉપર કારખાનામાં ઉંચાઇએથી પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ રોડ ઉપરના કારખાનામાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો આદિવાસી યુવાન ઊંચાઈએથી પડી જતા તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ એસ્પોન સીરામીક નામના યુનીટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો રાજેશ દયારામભાઈ આદિવાસી નામનો ૨૫ વર્ષીય યુવાન કારખાનામાં ઊંચાઈએથી નીચે પટકાયો હતો.જેથી કરીને તેને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સિનર્જી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજેશ આદિવાસીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના રહેવાસી છગનભાઈ જાદવજીભાઈ અઘારા નામના ૬૮ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે હળવદની મોરબી ચોકડી પાસે તેમના બાળકને અજાણ્યા ઇકો કારના ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત છગનભાઇને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.મોરબીના રવાપર ગામે રહેતો ક્રિશ ભાવેશભાઈ ખાંભલા નામનો ૧૩ વર્ષીય યુવાન ઘુંટુ ગામે રીક્ષામાંથી પડી જતાં ઇજાઓ થતાં તેને દવાખાને સારવારમાં લઈ જવાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના માળિયા હઇવે ઉપર આવેલા મધુપુર (નવું નાગડાવાસ) ગામે રહેતા ઇનાયત યુસુફભાઈ કુરેસી નામના ૩૪ વર્ષીય યુવાનને ગામમાં કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો ત્યાંથી તાલુકા પોલીસને જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા ઉપરોક્ત મારામારીના બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News