મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અષાઢી બીજ રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું નિરીક્ષણ


SHARE















વાંકાનેરમાં અષાઢી બીજ રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું નિરીક્ષણ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં આવતીકાલે અષાઢી બીજ રથ યાત્રા પૂર્વે વાંકાનેરમાં જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેરના સિટી પીઆર એચ.એન,રાઠોડ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા અને ત્યારે પોલીસે વડાએ જરૂરી સૂચનો કર્યા હતા 

આવતીકાલે યોજાનાર અષાઢી બીજ રથ યાત્રા પૂર્વે આ સાલ કોરોના અનુલક્ષીને વહીવટ તંત્ર, પોલીસ તંત્ર વધુ સજ્જ બન્યુ છે, વાંકાનેરમાં નિકળનાર અષાઢી બીજ રથ યાત્રામાં કોરોના અન્વયે સરકારી ગાઈડ લાઈનનાં ચુસ્ત અમલ માટે પોલીસ વિભાગ સજ્જ બન્યુ છે, રથ યાત્રા રૂટ પર સવારે 9 થી 4 દરમ્યાન કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે, રથ યાત્રામાં પણ સરકારી ગાઈડ લાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં લોકો જોડાશે અને કોરોના નેગેટીવ રિપોર્ટ ધરાવનાર જ જોડાઈ શકશે, ત્યારે કોરોનાની સંભવતઃ ત્રીજી લહેર અનુલક્ષી આ સાલ પોલીસ અને પ્રશાસન દ્વારા ચુસ્ત અમલવારી માટે કમર કસવામાં આવી રહી છે.






Latest News