મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી : અણીયારી ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતાં એકને સારવારમાં ખસેડાયો 


SHARE











મોરબી : અણીયારી ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતાં એકને સારવારમાં ખસેડાયો 

મોરબીની અણીયારી ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતા મૂળ અમદાવાદના યુવાનને હાલ સારવારમાં મોરબી ખસેડાયો છે. 

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા-હળવદ રોડ ઉપર આવેલ અણીયારી ચોકડી પાસે ટોલનાકા નજીક બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાયો હતો જે બનાવમાં અમદાવાદ તરફથી ગાંધીધામ જઈ રહેલ ટ્રકના ચાલક શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પરમાર (૨૬) રહે.મેઘાણીનગર ભાર્ગવ રોડ અમદાવાદ વાળાને ઇજાઓ થતાં તેને અહીંની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે.બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના ડેલ્ટા સીરામીકમાં ટ્રકમાંથી માલ ઉતરતા સમયે ટ્રક ઉપરથી પડી જતાં નિરેશભાઈ ઉદેસિંગભાઈ ભુરીયા નામના ૨૫ વર્ષીય મજૂરને ઇજાઓ થતા જેતે સમયે તેને અહીંની ગોકુલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બાદમાં વધુ સારવાર માટે તેને રાજકોટ લઇ જવાયો હોવાનું. મોરબી તાલુકા પોલીસ દ્વારા જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા 

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે થયેલ મારામારીના બનાવમાં ભરત અરજણભાઈ થરેસા નામના ૨૭ વર્ષના યુવાનને ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લવાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે ભરતને તેના ભાઈએ માર મારતા સારવાર માટે લવાયો હતો. જ્યારે મોરબીના નાનીવાવડી પાસે આવેલ સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા મંજુલાબેન ભવાનભાઈ કાવર નામના ૬૨ વર્ષના વૃધ્ધાને તેઓના ઘરના દરવાજામાં અથડાવાથી ઇજાઓ થતા તેમને મોરબી સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર આવેલ શિવ સોસાયટીમાં રહેતા અજય રતિલાલ અહેચાણીયા નામના ૨૬ વર્ષના યુવાને વજેપરમાં મોમાઈ ડેરી નજીક કોઈ દવા પી લેતાં તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો. જ્યારે મોરબીના વાવડી રોડ શ્રીજીપાર્ક વિસ્તારમાં રહેતી પૂજાબેન જીગ્નેશભાઈ વૈષ્ણવ નામની ૩૭ વર્ષીય મહિલાને અમદાવાદના ચતુરપાર્ક વિસ્તારમાં ગત તા.૭-૭ ના રોજ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે ગઈકાલે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.






Latest News