મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી : અણીયારી ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતાં એકને સારવારમાં ખસેડાયો 


SHARE















મોરબી : અણીયારી ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતાં એકને સારવારમાં ખસેડાયો 

મોરબીની અણીયારી ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતા મૂળ અમદાવાદના યુવાનને હાલ સારવારમાં મોરબી ખસેડાયો છે. 

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા-હળવદ રોડ ઉપર આવેલ અણીયારી ચોકડી પાસે ટોલનાકા નજીક બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાયો હતો જે બનાવમાં અમદાવાદ તરફથી ગાંધીધામ જઈ રહેલ ટ્રકના ચાલક શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પરમાર (૨૬) રહે.મેઘાણીનગર ભાર્ગવ રોડ અમદાવાદ વાળાને ઇજાઓ થતાં તેને અહીંની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે.બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના ડેલ્ટા સીરામીકમાં ટ્રકમાંથી માલ ઉતરતા સમયે ટ્રક ઉપરથી પડી જતાં નિરેશભાઈ ઉદેસિંગભાઈ ભુરીયા નામના ૨૫ વર્ષીય મજૂરને ઇજાઓ થતા જેતે સમયે તેને અહીંની ગોકુલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બાદમાં વધુ સારવાર માટે તેને રાજકોટ લઇ જવાયો હોવાનું. મોરબી તાલુકા પોલીસ દ્વારા જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા 

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે થયેલ મારામારીના બનાવમાં ભરત અરજણભાઈ થરેસા નામના ૨૭ વર્ષના યુવાનને ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લવાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે ભરતને તેના ભાઈએ માર મારતા સારવાર માટે લવાયો હતો. જ્યારે મોરબીના નાનીવાવડી પાસે આવેલ સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા મંજુલાબેન ભવાનભાઈ કાવર નામના ૬૨ વર્ષના વૃધ્ધાને તેઓના ઘરના દરવાજામાં અથડાવાથી ઇજાઓ થતા તેમને મોરબી સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર આવેલ શિવ સોસાયટીમાં રહેતા અજય રતિલાલ અહેચાણીયા નામના ૨૬ વર્ષના યુવાને વજેપરમાં મોમાઈ ડેરી નજીક કોઈ દવા પી લેતાં તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો. જ્યારે મોરબીના વાવડી રોડ શ્રીજીપાર્ક વિસ્તારમાં રહેતી પૂજાબેન જીગ્નેશભાઈ વૈષ્ણવ નામની ૩૭ વર્ષીય મહિલાને અમદાવાદના ચતુરપાર્ક વિસ્તારમાં ગત તા.૭-૭ ના રોજ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે ગઈકાલે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.






Latest News