મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરની કન્યા વિદ્યાલયમાં પ્રાકૃતિક માહોલમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ


SHARE











વાંકાનેરની કન્યા વિદ્યાલયમાં પ્રાકૃતિક માહોલમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં કોરોના મહામારી વચ્ચે વિધાર્થીનીઓનાં શૈક્ષણિક હિતને લક્ષમાં રાખી વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા શાળા દ્વારા પ્રાકૃતિક માહોલ વચ્ચે અઠવાડિક પ્રત્યક્ષ શિક્ષણ સંપૂર્ણ સરકારી ગાઈડ લાઈન મુજબ શરૂ કરવામાં આવતાં પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે.

કોરોના મહામારી વચ્ચે ઓનલાઈન શિક્ષણ દરેક માટે શક્ય નથી, એક પરિવારમાં ત્રણ સંતાનો હોય ત્રણે સંતાનો માટે ત્રણ મોબાઇલની આવશ્યકતા ઊભી થાય છે જે દરેક વાલીઓ માટે શક્ય નથી અને મહદઅંશે ઓનલાઇન શિક્ષણ હજુ સફળ પણ નથી ત્યારે વાંકાનેરની એલ.કે.સંઘવી કન્યા શાળાનાં આચાર્યા દર્શનાબેન જાની દ્વારા વિદ્યાર્થીનીઓનાં હિત માટે ગાયત્રી શક્તિ પીઠ ખાતે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે અઠવાડિક (દર- શનિવારે) પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં સંપૂર્ણ સરકારી ગાઈડ લાઈન મુજબ બેઠક વ્યવસ્થા સાથે અલગ અલગ વિષયો મુજબ તજજ્ઞ શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, અને પ્રત્યક્ષ શિક્ષણથી ટેવાયેલ વિધાર્થીનીઓ પણ સંપૂર્ણ સરકારી એસ.ઓ.પી.નું પાલન કરી લાંબા સમય બાદ હોશ પૂર્વક પ્રત્યક્ષ શિક્ષણ મેળવી રહી છે.

 






Latest News