મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા સીએમને રજૂઆત


SHARE











મોરબી જીલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા સીએમને રજૂઆત

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે સીએમ ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છેકે મોરબી જીલ્લો બન્યો પરંતુ ૭ વર્ષ પછી પણ મોરબી જિલ્લાને આજ સુધી ગ્રાહક કોર્ટ મળી નથી જેથી તાત્કાલિક આ મુદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઇ મહેતાએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો બન્યો તેને ૭ વર્ષ જેટલો સમય થઈ ગયેલ છે અને તમામ સરકારી કચેરીઓ આવી ગઇ છે અને કાર્યરત થઇ ગઇ છે જોકે મોરબીના ગ્રાહકોના પ્રશ્ન ઘણાં જ છે જેમાં મુખ્યત્વે હાલમાં ગ્રાહકોના એકસો વીસ કેઇસ રાજકોટ ખાતે રાજકોટ તકરાર નિવારણ કમીશનમાં ચાલે છે. તથા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં સાત કેઇશ ચાલે છે. અને નવી દિલ્હી ખાતે પણ ત્રણ કેઇસ ચાલે છે. હવે ગ્રાહકને મોટી મુશ્કેલી પદ રહી છે અને રાજકોટ ખાતે ફકત મંગળવારે જ કોર્ટ ચાલે છે. જેથી ગ્રાહકોના કેઇસનો ભરાવો (પેઇન્ડીંગ) થાય છે. અને વર્ષોથી ગ્રાહકને ન્યાય મળતો નથી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જાગો ગ્રાહક જાગોની યોજના સફળ બનાવવા ધણા બધા સુધારા કર્યા છે. પરંતુ ગ્રાહક માટેની કોર્ટ ચાલતી ન હોય યોજના નિષ્ફળ થાય તેવું દેખાય છે. જ્યારે કોર્ટ જ ન ચાલતી હોય ત્યારે ગ્રાહકોનો વિશ્વાસ ઉઠતો જાય છે માટે મોરબી જીલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા માટે યોગ્ય અને ઉચિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણીએ પણ રાજયના મુખ્યમંત્રી સમક્ષ આ મુદે માંગ કરેલ છે.






Latest News