વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન
Breaking news
Morbi Today

માળીયા(મી)માં મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં સુપોષણ કીટનું વિતરણ: ૪૦ બાળકોને દત્તક લેવાયા


SHARE











માળીયા(મી)માં મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં સુપોષણ કીટનું વિતરણ: ૪૦ બાળકોને દત્તક લેવાયા

માળીયા તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે આયોજિત સમાંરભમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કુપોષીત બાળકોની કીટનું વિતરણ કર્યા બાદ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કુપોષણ બાબતને ગંભીરતાથી લઇ કુપોષણને નાથવા માટે કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત માળીયા તાલુકાના ૪૦ બાળકોને સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માળીયા તાલુકાના લાભાર્થીઓને અન્નપૂર્ણા કીટનું પણ વિતરણ કરવામાં આવી રહી છે. વધુમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાને અમુક ગામોમાં પ્રતિનિધિઓ દ્વારા પીવાના પાણીની તકલીફ હોવાની ફરિયાદ મળી હોવાથી સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલીક નિવારણ લઇ પરિણામલક્ષી આયોજન કરવા તાકીદ કરી હતી. કોઇપણ ગામ પીવાના પાણીની સુવિધાથી વંચિત ન રહે તે માટે અમે કટિબદ્ધ હોવાનો મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સુર વ્યક્ત કર્યો હતો. આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, હળવદ પ્રાંત અધિકારી એમ.એ. ઝાલા, મામલતદાર ડી.સી. પરમાર, તાલુકા વિકાસ અધિકારી કોંઢીયા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News