મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સનસીટીના ગ્રાઉન્ડ યોજાશે હનુમાન ચાલીસા કથા: હરિપ્રકાશદાસજી સ્વામી કરાવશે કથાનું રસપાન


SHARE











મોરબીમાં સનસીટીના ગ્રાઉન્ડ યોજાશે હનુમાન ચાલીસા કથા: હરિપ્રકાશદાસજી સ્વામી કરાવશે કથાનું રસપાન

મોરબીમાં રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથા તા ૨૬ થી શરૂ થવાની છે અને દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી કથા ચાલુ રહેશે અને સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.

મોરબીમાં આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા ભાવિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા તા ૨૬ થી શરૂ થશે તા ૩૦ ના રોજ રાતે ૯ કલાકે અન્નકૂટ ઉત્સવ યોજાશે અને ૧૦:૩૦ કલાકે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે હનુમાનજીને ૫૧ કિલોની કેક ધરવામાં આવશે. અને ૧૦૮ કિલો પુષ્પવર્ષા કરવામાં આવશે તા ૨૮ ના રોજ કથા સ્થળે ૮ થી ૧૦ બે કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ અને તા ૨ મે ના રોજ રાતે ૧૧:૩૦ કલાકે કથાની પૂર્ણાહુતિ થશે. અને હનુમાન ચાલીસા કથાનું લાઈવ પ્રસારણ પણ ટીવીમાં બતાવવામાં આવશે






Latest News