મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પી.એમ.કિશાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે


SHARE











મોરબી જીલ્લામાં પી.એમ.કિશાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે

કિશાન ભાગીદારી પ્રાથમિકતા હમારી કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં પી.એમ.કિશાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે. આ લાભ આપવા કલેકટર કચેરી મોરબી ખાતે કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેંકોના અધિકારીઓની બેઠક મળી હતી

જીલ્લા કલેક્ટર જે.બી. પટેલે તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવે ઉપસ્થિત તમામ બેન્ક અધિકારીઓને કેસીસીના લાભાર્થીઓને આ યોજનાનો લાભ સમયમર્યાદામાં મળે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ગ્રામસભાના મધ્યમથી યોજનાનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવાનો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તમામ લાભાર્થીઓને પી.એમ.જે.જે.બી.વાય. અને પી.એમ.એસ.બી.વાય. યોજનામાં આવરી લેવા તેઓએ જણાવ્યું હતું.

આ બેઠકમાં લીડ બેન્ક મેનેજર સુરેશ પવારએ યોજનાની વિગતો જણાવ્યું હતું કેઆ યોજના પી.એમ. કિસાન યોજનાના જે લાભાર્થીઓએ કેસીસી (કિસાન ક્રેડિટ કાર્ડ) યોજનાનો લાભ ના લીધેલ હોય તેના માટે છે. મત્સ્યોદ્યોગ તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે. લાખ સુધીની લોન માટે વ્યાજ દર ૭ ટકા રહેશે. જો આ લોન ૩૬૫ દિવસની અંદર ભરપાઈ કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને ૪ ટકા વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવશે.

ડીડીએમ નાબાર્ડ અરાસુ બર્નાબાસએ જણાવ્યું હતું કે કેસીસી નો લાભ બેન્કો દ્વારા સરળતાથી અને ત્વરિત આપવામાં આવશે. પી.એમ. કિસાન યોજનાના જે લાભાર્થીઓ કેસીસીનો લાભ લઈ રહ્યા છે તેઓ વધારાની લોન લેવા માટે તેમની બેન્કની શાખાનો સંપર્ક કરી શકે છે. તેમજ લાભાર્થીઓને આ યોજનાનુ સરળ ફોર્મ ભરવા માટેની માહિતી નજીકના સીએસસી કેન્દ્ર પરથી મળશે. તા. ૨૪ એપ્રિલ થી ૧ મે સુધીમાં આ યોજનાના તમામ લાભાર્થીઓને આ યોજનામાં આવરી લેવા તેઓએ વધુમાં જણાવ્યું હતું આ બેઠકમાં એલ.ડી.એમ. સુરેશ પવારડીડીએમ નાબાર્ડ અરાસુ બર્નાબાસ સહિત જીલ્લા ખેતીવાડીપશુપાલનમત્સ્યોદ્યોગ તથા બેન્કોના અધિકારીઓ-પ્રતિનિધિઓ હજાર રહ્યા હતા






Latest News