મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના લખધીરવાસ ચોકમાં પદુભા ઝાલા પરિવાર દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન


SHARE







મોરબીના લખધીરવાસ ચોકમાં પદુભા ઝાલા પરિવાર દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન

મોરબીના લખધીરવાસ ચોક વાંકાનેર દરવાજા પાસે સર્વજ્ઞાતિય સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તા.૨૪-૪ થી તા.૩૦-૪ દરમિયાન આયોજન કરવામાં આવેલું છે.

મોરબીના લખધીરવાસ વિસ્તારના સેવાભાવી, કર્મઠ આગેવાન અને કથાના મુખ્ય યજમાન પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા (પદુભા) પરિવાર તેમજ લખધીરવાસ ચોક દ્વારા આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.સર્વજ્ઞાતિય અને સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે.જેમાં જાણીતા કથાકાર નિખીલભાઈ જોશી સંગીતમય શૈલીમાં શ્રદ્ધાળુઓને કથાનું રસપાન કરાવશે.ભાગવત સપ્તાહ તા.૨૪-૪ થી ૩૦-૪ સુધી ચાલશે.જેમાં તા.૨૪-૪ ને રવિવારે બપોરે ૩ વાગ્યે જેઇલ રોડ ઉપર આવેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પોથીયાત્રા શરૂ થશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.

ત્યારબાદ તા.૨૪ ને રવિવારના બપોરે ૪ વાગ્યાથી કથા શરૂ થશે.કથા દરરોજ બપોરના ૩ થી ૭ દરમિયાન યોજાનાર છે.તા.૨૬ ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા.૨૭ ના રોજ વામન પ્રાગટ્ય, કૃષ્ણ પ્રાગટ્ય અને રામ પ્રાગટ્ય મહોત્સવો ધામધૂમથી ઉજવાશે.ત્યારે તા.૨૮ ના રોજ ગોવર્ધન લીલા અને તા.૨૯ ના રોજ રૂક્ષ્મણી વિવાહ બાદ તા.૩૦-૪ ને શનિવારના રોજ કથા પૂર્ણાહુતિ થશે.જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને લાભ લેવા માટે કથાના મુખ્ય આયોજક પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા (પદુભા) તેમજ લખધીરવાસ ચોક મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. વધુ માહિતી માટે વિમલભાઈ દવે મોબાઈલ નંબર ૯૮૭૯૨ ૭૬૫૬૯ અને પદુભા મોબાઈલ નંબર ૯૯૭૯૬ ૭૩૯૭૩ નો સંપર્ક કરવા માટે યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News