મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર ચોથા માળેથી પટકાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના કંડલા બાયપાસ ઉપર ચોથા માળેથી પટકાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચોથા માળેથી નીચે પટકાયેલા મૂળ ટંકારાના રહેવાસી યુવાનને મોરબી સિવિલ ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના કંડલા બાયપાસ ઉપર દલવાડી સર્કલ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં ચોથા માળેથી નીચે પટકાતાં દિલીપ લક્ષ્મણભાઈ લાખાણી (ઉમર ૩૦) રહે.વીરપર તાલુકો ટંકારાને બંને પગના ભાગે ઇજાઓ થઇ હોય તેને અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.અહીં પ્રાથમિક સારવાર આપીને રાબેતા મુજબ તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીકના લીલાપર ગામે રહેતી ખુશી જગદીશભાઈ રાઠોડ નામની ૯ વર્ષીય બાળકી રિક્ષામાં બેસીને જતી હતી ત્યારે ગામ નજીક તે રિક્ષા અને ટ્રેકટરની અથડામણ થઇ હતી.આ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી ખુશી રાઠોડ નામની ૯ વર્ષીય બાળકીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના રાધાપાર્ક શેરી નંબર-૧ માં રહેતા પ્રકાશભાઈ પ્રભુભાઈ દેથરીયા નામના ૫૧ વર્ષીય આધેડ બાઈક લઈને જેતપર રોડ ઉપરથી જતા હતા ત્યારે જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક તેમના બાઇક આડે કુતરૂ અચાનક આડુ ઉતરતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઈ દેથરીયાને સારવાર માટે અહિંના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વૃદ્ધા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર કૌચલની વાડીમાં રહેતા અમૃતબેન વાલજીભાઈ ચાવડા નામના ૬૪ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને માળીયા હાઈવે ઉપરથી જતા હતા ત્યારે માળીયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જવાથી ઈજાગ્રસ્ત થયેલા અમૃતબેન ચાવડાને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા જે અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






Latest News