મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


SHARE











મોરબી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

મોરબીના સરદાર રોડ પર આવેલ મોરબી નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તા. ૧૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ મુંબઈના ડોકયાર્ડમાં દારૂગોળો તેમજ અન્ય જ્વલનશીલ પદાર્થનો માલસામાન ભરેલ બ્રિટિશ માલવાહક જહાજ આવ્યું હતું ત્યારે ભયંકર ધડાકા સાથે તેમાં આગ લાગી હતી અને આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર વિભાગના ૬૬ જવાનો શાહિદ થયા હતા ત્યારે ત્યારથી અગ્નિશામક સેવા દિવસ તરીકે ૧૪મી એપ્રિલના રોજ કાર્યક્રમ હોય છે અને અગ્નિ શામક સેવા દિન નિમિતે તમામ નામી અનામી શહીદો કે જેમણે લોકોના જીવ બચાવવા માટે થઈને ફાયર વિભાગની કામગીરી દરમ્યાન પોતાના જીવ આપેલ છે તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેવી જ રીતે મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ફાયર વિભાગમાં કામગીરી દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી






Latest News