મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાંથી ગૌવંશોને કતલખાને લઈ જનાર બે આરોપીની જામીન અરજી નામંજુર


SHARE











ટંકારા પાસેથી થોડા દિવસો પહેલા કતલખાને લઈ જવાતા ગૌવંશોને વિહિપ અને બંજરંગ દળના કાર્યકર્તાઓ બચાવ્યા હતા અને ત્રણ શખ્સો સામે ટંકારા પોલીસમાં ફરિયાદ નોધાવી હતીઓ જે ગુનામાં પકડાયેલા બે આરોપીના જામીન માટે કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી જેને કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી છે

ટંકારા પોલીસમાં વિહિપ પ્રમુખ દ્વારા કતલખાને લઈ જતાં શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપી શૈલેશ માનસિંગ ચૌહાણ (રહે. નારણકા)સાગર લખમણ ઝાપડા (રહે-તરઘરી) અને હનીફ (રહે-કલ્યાણપર) વાળાઓ સામે ગુનો નોંધ્યો હતો અને જુદીજુદી જગ્યાએથી આઈશર ટ્રકમાં ગાયો ૭ તથા એક વાછરડો એમ કુલ આઠ અબોલ જીવને ભરીને કતલખાને લઈ જતાં હતા ત્યારે તેને પકડીને પશુ પ્રત્યે ધાતકીપણું દાખવવા અંગેની ફરિયાદ નોંધવી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી જે બે આરોપીના જામીન માટે કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી ત્યારે સરકારી વકીલ પુજાબેન જોષીએ ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીના જમીન માટેની અરજીને નામંજૂર કરી છે 




Latest News