મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે આયોજીત રામકથામાં તા.૧૧ ના રાજયના મુખ્યમંત્રી હાજરી આપશે


SHARE







 

મોરબીના બેલા ગામે આયોજીત રામકથામાં તા.૧૧ ના રાજયના મુખ્યમંત્રી હાજરી આપશે

મોરબીના બેલા ગામે આવેલા ખોખરા હરીહર ધામ ભરતનગર ખાતે રામકથામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી તાલુકાના ભરતનગર-બેલા ગામે આવેલ ખોખરા હરીહર ધામ ખાતે આગામી તા.૧૧ ના આવશે. તા.૮-૪ થી તા.૧૬-૪ દરમિયાન ખોખરા હરીહરધામ ખાતે રામકથાનું આયોજન કરવામાં આવેલ છે. આ રામકથાના કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તા.૧૧-૪ ના રોજ ઉપસ્થિત રહેશે.મુખ્યમંત્રીના મોરબી જિલ્લાના આ પ્રવાસ અંતર્ગત તેઓ આગામી તા.૧૧-૪ ના રોજ ૯:૫૦ કલાકે હેલીપેડ ઉતરી ૧૦ કલાકે ખોખરા હરીહર ધામ ખાતે યોજાયેલ રામકથાના આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે.

૧૨ એપ્રિલે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબીના નિયામક દ્વારા આગામી તા.૧૨-૪ ના રોજ સવારે ૧૧ કલાકે શ્રી.યુ.એન.મહેતા આર્ટસ કોલેજ, નજરબાગ પાસે, ભડીયાદ રોડ, સામાકાંઠે મોરબી-૨ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં મોરબી  જિલ્લાઓના  ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક,એસએસસી, એચએચસી, આઇટીઆઇ કે સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે  નિયત સમય અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે.તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીએ યાદીમાં જણાવેલ છે.






Latest News