મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકરાના રહેવાસી વૃદ્ધનું દુકાનની ખુરશીએ બેઠાબેઠા એકાએક મોત


SHARE







ટંકરાના રહેવાસી વૃદ્ધનું દુકાનની ખુરશીએ બેઠાબેઠા એકાએક મોત

મોરબીના ટંકારામાં રહેતા સવજીભાઇ રામજીભાઇ કકાસણીયા નામના ૬૫ વર્ષીય વૃદ્ધ સરીતા ટ્રેડિંગ નામની દુકાને ખુરસીમાં બેઠા હતા ત્યાં અચાનક ખુરશીમાં બેઠાબેઠા જ તેઓ બેભાન થઇને નિચે ઢળી પડયા હતા.જેથી તેમને બેભાન હાલતમાં જ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા જયાં તેઓને જોઇ તપાસીને તબીબ દ્રારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા જેથી કરીને હાલ પ્રાથમિક તપાસ કરીને એ ડીવીઝન પોલીસે બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ટંકારા તાલુકાના લજાઇ ગામના વતની ભાનુબેન સામતભાઈ મકવાણા નામના ૫૦ વર્ષીય આધેડ મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે લજાઈ ચોકડી પાસે તેઓના બાઈકને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઈજાઓ થતાં ભાનુબેન મકવાણાને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મોરબીના રવાપર રોડ ઉપર બાઈકમાં બેસીને જતા સમયે બાઇક સ્લીપ થઇ જતા પડી જવાથી નવરાજભાઈ બીરશ્યામભાઈ સુનાર નામના ૪૨ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સ્લીમ સિરામિક નામના કારખાના પાસે રહીને મજૂરીકામ કરતા બીરેન્દ્રકુમાર રામતીહારી ચૌધરી નામનો ૪૯ વર્ષીય આધેડ પોતાના વાહનમાં જતો હતો ત્યારે ત્યાં સરતાનપર ચોકડી નજીક વાહન અકસ્માતમાં ઇજા થતા તેને સદભાવના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જામનગર ખાતે રહેતો જોય સુનિલભાઈ ચીખલીયા નામનો ૧૫ વર્ષીય બાળક સ્કૂલેથી પરત સાયકલ લઈને ઘરે જતો હતો ત્યાં રસ્તામાં તે સાયકલમાંથી નિચે પડી જતા ઇજાગ્રસ્ત જોય ચીખલીયાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે ગૌરીદળના રહેવાસી લાખાભાઈ શીવાભાઈ ટોળીયા નામનો ૪૮ વર્ષીય યુવાન બિલેશ્વર નજીકથી બાઇકમાં જતો હતો તે સમયે તે બાઇકમાંથી પડી જતા ઇજાગ્રસ્ત લાખાભાઇ ટોળીયાને પણ સારવાર માટે અહીં મોરબીની આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો.






Latest News