મોરબી જિલ્લા “આપ” દ્વારા આગેવાનો ઉપર હુમલા કરનાર સામે કડક પગલા લેવાની માંગ
SHARE








મોરબી જિલ્લા “આપ” દ્વારા આગેવાનો ઉપર હુમલા કરનાર સામે કડક પાગલ લેવની માંગ
થોડા સમય પહેલા “આપ” ના આગેવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને અવાર નવાર આવી જ રીતે હુમલા કરવામાં આવે છે ત્યારે મોરબી આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અમે આપના આગેવાનોને સલામતી આપવાની માંગ કરી છે
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એ.કે.પટેલ, પરેશ પારિઆ સહિતના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી “આપ”ના નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, મહેશભાઈ સવાણી સહિતના ઉપર વારંવાર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે દરેક હુમલામાં પકડાયેલા કે ઓળખાયેલા અસામાજિક તત્વોનું સત્તાધારી પક્ષ ભાજપ સાથે કનેક્શન નીકળ્યું છે જેથી કરીને હુમલાની ઘટનાને મોરબી જિલ્લા આપની ટિમ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને તમામ બનાવોની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનોને સલામતી આપવાની માંગ કરી છે અને જો હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અહિંસાના માર્ગે લડત ચલાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”

