મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા “આપ” દ્વારા આગેવાનો ઉપર હુમલા કરનાર સામે કડક પગલા લેવાની માંગ


SHARE











મોરબી જિલ્લા “આપ” દ્વારા આગેવાનો ઉપર હુમલા કરનાર સામે કડક પાગલ લેવની માંગ

થોડા સમય પહેલા આપના આગેવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો અને અવાર નવાર આવી જ રીતે હુમલા કરવામાં આવે  છે ત્યારે મોરબી આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અમે આપના આગેવાનોને સલામતી આપવાની માંગ કરી છે


મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એ.કે.પટેલ, પરેશ પારિઆ સહિતના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી “આપ”ના નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, મહેશભાઈ સવાણી સહિતના ઉપર વારંવાર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે દરેક હુમલામાં પકડાયેલા કે ઓળખાયેલા અસામાજિક તત્વોનું સત્તાધારી પક્ષ ભાજપ સાથે કનેક્શન નીકળ્યું છે જેથી કરીને હુમલાની ઘટનાને મોરબી જિલ્લા આપની ટિમ  સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને તમામ બનાવોની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનોને સલામતી આપવાની માંગ કરી છે અને જો હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અહિંસાના માર્ગે લડત ચલાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News