મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ લેનાર પરિણીતાનું સારવારમાં મોત


SHARE











વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ લેનાર પરિણીતાનું સારવારમાં મોત

વાંકાનેરમાં આવેલ પીર મશાયખ હોસ્પિટલની અંદર રહેતી પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમ્યાન તે પરણિતાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ પીર મશાયખ હોસ્પિટલની અંદર રહેતી જાનકીબેન રજનીભાઈ વોરા (ઉંમર ૩૩) નામની પરિણીતાએ પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન ત્યાંના ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આપઘાતના આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે પરિણીતાના આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હતા ધરી હતી






Latest News