મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં બાંધકામ મંજૂરી વગરની મિલકતોના આસામીઓને પાલિકાના ફટકારી આખરી નોટિસ


SHARE













મોરબીમાં બાંધકામ મંજૂરી વગરની મિલકતોના આસામીઓને પાલિકાના ફટકારી આખરી નોટિસ

મોરબી શહેરમાં બાંધકામ મંજૂરી બાદ બાંધકામ વપરાશ અંગેના પ્રમાણપત્ર અને ફાયર એનઓસી માટે પાલિકા દ્વારા ધોકો પછાડવામાં આવ્યો છે. અને મોરબી પાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા હાલમાં શહેરના રહેણાંકવાણિજ્ય બાંધકામો તેમજ પાર્ટી પ્લોટસિનેમા હોલ અને સમાજની વાડી જેવા બાંધકામના ધારકોને નોટિસો આપવામાં આવી રહી છે

સરકારના આદેશ મુજબ પાલિકા વિસ્તારમાં બાંધકામ મંજૂરી બાદ બાંધકામ વપરાશ અંગેના પ્રમાણપત્ર ન હોય તેમજ ફાયર એનઓસી ન હોય તેવા બાંધકામોને સીલ કરવા કડક સૂચના આપવામાં આવી છે જેથી કરીને મોરબી પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આસામીઓને નોટિસો આપવામાં આવી રહી છે અને ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, ૧૫૦  જેટલા બહુમાળી, સુપર માર્કેટ તેમજ અન્ય કોમર્શિયલ બિલ્ડીંગો તેમજ હોલપાર્ટીપ્લોટસિનેમાઘર સહિતની મિલકતો કે જેના માલિકો પાસે બાંધકામ મજૂરી નથી તેને અત્યાર સુધીમાં બે નોટિસ આપવામાં આવી છે અને હાલમાં નિયમ મુજબ ત્રીજી આખરી નોટિસ આસામીઓને આપવામાં આવી છે જો બાંધકામ વપરાશનું પ્રમાણપત્ર કે ફાયર એનઓસી નહીં મેળવવામાં આવે તો મિલકતને સીલ કરવા માટેની કામગીરી કરવામાં આવશે






Latest News