બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં બાંધકામ મંજૂરી વગરની મિલકતોના આસામીઓને પાલિકાના ફટકારી આખરી નોટિસ


SHARE











મોરબીમાં બાંધકામ મંજૂરી વગરની મિલકતોના આસામીઓને પાલિકાના ફટકારી આખરી નોટિસ

મોરબી શહેરમાં બાંધકામ મંજૂરી બાદ બાંધકામ વપરાશ અંગેના પ્રમાણપત્ર અને ફાયર એનઓસી માટે પાલિકા દ્વારા ધોકો પછાડવામાં આવ્યો છે. અને મોરબી પાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા હાલમાં શહેરના રહેણાંકવાણિજ્ય બાંધકામો તેમજ પાર્ટી પ્લોટસિનેમા હોલ અને સમાજની વાડી જેવા બાંધકામના ધારકોને નોટિસો આપવામાં આવી રહી છે

સરકારના આદેશ મુજબ પાલિકા વિસ્તારમાં બાંધકામ મંજૂરી બાદ બાંધકામ વપરાશ અંગેના પ્રમાણપત્ર ન હોય તેમજ ફાયર એનઓસી ન હોય તેવા બાંધકામોને સીલ કરવા કડક સૂચના આપવામાં આવી છે જેથી કરીને મોરબી પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આસામીઓને નોટિસો આપવામાં આવી રહી છે અને ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, ૧૫૦  જેટલા બહુમાળી, સુપર માર્કેટ તેમજ અન્ય કોમર્શિયલ બિલ્ડીંગો તેમજ હોલપાર્ટીપ્લોટસિનેમાઘર સહિતની મિલકતો કે જેના માલિકો પાસે બાંધકામ મજૂરી નથી તેને અત્યાર સુધીમાં બે નોટિસ આપવામાં આવી છે અને હાલમાં નિયમ મુજબ ત્રીજી આખરી નોટિસ આસામીઓને આપવામાં આવી છે જો બાંધકામ વપરાશનું પ્રમાણપત્ર કે ફાયર એનઓસી નહીં મેળવવામાં આવે તો મિલકતને સીલ કરવા માટેની કામગીરી કરવામાં આવશે






Latest News