સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનાં ૪૨,૫૭૦ બાળકોને આજથી કોરોના વેકસીન આપવાનું શરૂ


SHARE











મોરબી જિલ્લાનાં ૪૨,૫૭૦ બાળકોને આજથી કોરોના વેકસીન આપવાનું શરૂ

મોરબી જિલ્લાનાં ૧૨ થી ૧૪ વર્ષનાં બાળકોને કોરોના વેકસીન આપવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે અને જિલ્લામાં આશરે કુલ ૪૨,૫૭૦ બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવામાં આવશે જેમાં મોરબી તાલુકામાં ૧૭૯૪૬ટંકારમાં ૫૨૫૭માળીયા (મી.)માં ૩૧૧૧વાંકાનેરમાં ૯૯૯૨હળવદમાં ૬૨૬૪ વિદ્યાર્થીઓને તેઓની શાળામાં જ રસી આપવામાં આવશે

સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટેનું આયોજન કરેલ હોયતેના અનુસંધાને મોરબી જીલ્લામાં પણ આજથી ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાનું શરૂ કરાયું છે અને શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરતાં હશે ત્યાં જ તેને વેક્સિન આપવામાં આવશે અને શાળામાં અભ્યાસ ન કરતા હોય તેવા ૧૨ થી ૧૪ વર્ષના બાળકો નજીકની શાળા કે આરોગ્ય સંસ્થાના કોર્બીવેક્સ રસીકરણ સેશનમાં રસી મેળવી શકશે. તેમજ અગાઉ ૬૦ વર્ષ થી વધુ વયના કોમોર્બીડીટી ધરાવતા નાગરીકોનેજ પ્રીકોશન ડોઝ આપવામાં આવતો હતો તા.૧૬ થી ૬૦ વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. ત્યારે મોરબી જીલ્લાના તમામ વિધાર્થી વિધાર્થીનીઓ તેમજ તમામ જાગૃત વાલીઓને મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન હીરાભાઈ ટમારિયા તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરા તેમજ ડો વિપુલ કારોલીયાએ અપીલ કરી છે.

 

મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે

મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદો માટેની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૨૨ માર્ચને મંગળવારે સવારે ૯:૩૦ કલાકે સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજીનું મંદિર ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ છે અને ત્યારે રજિસ્ટ્રેશન પણ કરવામાં આવશે જેની ફી રૂપિયા ૨૦૦ રાખવામાં આવેલ છે. તેમ પ્રમુખ જે.એસ. ડાંગરે જણાવ્યુ છે 






Latest News