મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઘનશ્યામગઢ ગામનો બનાવ : પરિવારનું ધ્યાન રાખજો કરીને યુવાને વાડીએ દવા પી લેતા સારવારમાં


SHARE











મોરબીના ઘનશ્યામગઢ ગામનો બનાવ : પરિવારનું ધ્યાન રાખજો કરીને યુવાને વાડીએ દવા પી લેતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે વાડી વિસ્તારમાં યુવાને ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયો છે અને સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યુવાને પોતાના મોરબી રહેતા કૌટુંબીક ભાઈને 'મારા પરિવારનું ધ્યાન રાખજો' એમ કહીને ફોન કર્યા બાદ ઉપરોક્ત પગલું ભર્યુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા મહેશભાઈ અંબારામભાઈ સંઘાણી નામના ૪૬ વર્ષીય યુવાને વાડીએ જઈને ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા તેમજ રાઇટર મિલનભાઈએ પ્રાથમિક તપાસ કરતા ખુલ્યુ હતું કે મહેશભાઈ સંઘાણીએ તેમના મોરબી રહેતા કોઈ કૌટુંબિક ભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે "મારા ઘરનું ધ્યાન રાખજો" એમ કહીને પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને હાલ બેભાન હાલતમાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવેલા છે અને હાલ તેઓ બેભાન બોય બનાવનું કારણ સામે આવેલ નથી.બનાવ સંદર્ભે મોરબી પોલીસ દ્રારા હળવદ પોલીસને જાણ કરવા આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

જામકંડોરણા પાસેના ખજૂરડા ગામના ગીતાબેન વિજયભાઈ હાંસલિયા (ઉમર ૪૪) અને ભવ્ય વિજયભાઈ હાંસલિયા (ઉમર ૧૧) ને ભાયાવદરથી ઉપલેટા જતા સમયે બાઇકનો બોલેરો કાર સાથે વાહન અકસ્માતનો બનાવ બનતા તેમાં ઇજાઓ થવાથી સારવાર માટે માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.જયારે હળવદના આંબેડકરનગર વિસ્તારમાં રહેતો દેવ હસમુખભાઈ પરમાર નામનો ૧૧ વર્ષીય બાળક બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત દેવ પરમારને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News