મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારીની બેઠક મળી.


SHARE















મોરબી જિલ્લાના વાંકાનેરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારીની બેઠક મળી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાની કારોબારી બેઠક દિગ્વિજય નગર પ્રાથમિક શાળા ખાતે મળી હતી જેમાં બેઠકની શરૂઆત ધ્રુવગીરી ગૌસ્વામી દ્વારા સંગઠન મંત્રથી કરવામાં આવી અને ત્યારબાદ દિગ્વિજય પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર દ્વારા તમામ કારોબારી સભ્યનું હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું અને કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા અને હસમુખભાઈ પરમાર દ્વારા નવનિયુક્ત કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળાને શાલ, પુષ્પગુચ્છ અને ભારત માતાના પ્રતિકૃતિ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કારોબારી બેઠકમાં આવેલા તમામ કારોબારી સભ્યોનું શ્રીમદ ભાગવત ગીતાના પુસ્તક આપી  ધ્રુવગીરી ગૌસ્વામી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું

આ બેઠકમાં કારોબારી સભાની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં સિનિયર ઉપાધ્યક્ષ તરીકે  હસમુખભાઈ પરમાર અને સંગઠન મંત્રી તરીકે મંગુભાઇ પટેલ ની વરણી નવઘણભાઈ દેગામા મંત્રી ના વરદ હસ્તે કરવામાં આવી અને આ તકે ઉપસ્થિત રહેલ કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળાએ પ્રેરક વચન આપેલ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકા ના અધ્યક્ષ શ્રી અશોકભાઈ સતાસિયા દ્વારા કારોબારીના મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. જેમ કે સદસ્ય નોંધણી જોરશોર કરવી, શિક્ષકોની શ્રેયાન યાદી (ઉચ્ચતર પગાર ધોરણ) બનાવવા અંગે ટીપીઈઓ કક્ષાએ રજુઆત કરવી, SPL બાબતે, HTAT પ્રશ્નો, જૂની પેન્શન યોજના બાબતે, વિદ્યાસહાયક બોન્ડ મુક્તિ, સી.આર.સી વિભાજન પ્રશ્નો વગેરે જેવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી  ત્યારબાદ કારોબારી સભ્યો દ્વારા થયેલા સદસ્યતા અભિયાનમાં શિક્ષકો દ્વારા થયેલા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી અને સદસ્યતા અભિયાન કેટલે પહોંચ્યું છે તેની નોંધ લેવામાં આવી હતી તેવું પ્રચારમંત્રી નીરવભાઈ બાવરવાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News