વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામના યુવાન સરકારી નોકરી છોડીને  સંયમનો માર્ગ અપનાવ્યો


SHARE











હળવદના મયુરનગર ગામના યુવાન સરકારી નોકરી છોડીને  સંયમનો માર્ગ અપનાવ્યો

ઘણા યુવાનો આજની તારીખે સરકારી નોકરી માટે વલખાં મારી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના મયુરનગર ગામના યુવાન જગદીશભાઈ દલવાડીને રેવન્યુ વિભાગમાં ક્લાર્કની નોકરી મળી હતી અને તે વાંકાનેર તાલુકા મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ પણ બજાવતો હતો જો કે, તેને સંસાર છોડી દીધો છે અને વિધિવત રીતે સંયમના માર્ગે અપનાવ્યો છે ત્યારે સમસ્ત ગ્રામજનોએ તેને વાજતે ગાજતે વિદાય આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, મયુરનગરના રાઘુભાઈ દલવાડીને ત્રણ દીકરા છે જેમના એક પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું બીજા જગદીશભાઈને રેવન્યુ વિભાગમાં કલાર્કની નોકરી મળી હતી જેથી તે વાંકાનેર મામલતદાર કચેરીમાં ક્લાર્કની નોકરી કરતો હતો અને જગદીશભાઇને નાનપણથી જ ભક્તિમાં વધુ રસ હતો ત્યારે તેને સનાતન ધર્મના રસ્તે જવાની પરિવાર સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેને સંસાર ત્યજી દેતા જગદીશભાઈ હવે જગદીશબાપુ બની ગયેલ છે અને તેમણે પરિવારજનો અને સમસ્ત ગામ દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી






Latest News