માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીરના શિખર ઉપર ધ્વજા સ્થંભની સ્થાપના કરાઇ


SHARE







વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીરના શિખર ઉપર ધ્વજા સ્થંભની સ્થાપના કરાઇ

મોરબી જીલ્લામાં આવતા વાંકાનેરમાં સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીર ખાતે નિજ મંદિર ઉપર મહંત  રતિલાલજી ત્રિવેદીની પ્રેરણાથી ધર્મ ધ્વજાજીનો નૂતન સ્થંભની સ્થાપના સોમવાર મહાસુદ ૧૩ના રોજ કરવામાં આવેલ છે અને આ ધ્વજા સ્થંભના દાતા વિનુભાઈ દોમડિયા પરિવાર છે અને ત્યારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરી ધ્વજા સ્થંભની પુજા કરીને મંદીરના શિખર પર સ્થાપના કરવામાં આવ્યું છે અને આ શુભ અવસરે મોટી સંખ્યામા ભકતજનો ઉપસ્થિત રહેલ હતા અને સ્થંભ ૧૫૦ કિલો પીત્તળમાંથી બનાવવામાં આવેલ છે અને આ સ્થંભની સ્થાપના માટે લઘુમહંત જીતેન્દ્ર પ્રકાશજી ત્રિવેદી તેમજ જડેશ્વર મહાદેવ પ્રબંધ સમિતિના સભ્યો તેમજ અન્ય ભક્તજનોએ ખુબ જ સાથ સહકાર આપ્યો હતો






Latest News