મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યની પત્નીને ચુંટણીમાં હરાવનારા સરપંચ સસ્પેન્ડ


SHARE













મોરબીમાં ધારાસભ્યની પત્નીને ચુંટણીમાં હરાવનારા સરપંચ સસ્પેન્ડ

મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયત ચુંટણીમાં ભાજપના ચાલુ ધારાસભ્યના પત્ની ચૂંટણી લડ્યા હતા અને તે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારની સામે હાર્યા હતા અને સરપંચની ચૂંટણીમાં જે વિજેતા બનેલ છે તેના દ્વારા ઉમેદવારી પત્રમાં સંતાનની જન્મ તારીખની માહિતી ખોટી આપી હતી જે અંગેની હરીફ ઉમેદવારે ફરિયાદ કરી હતી જેના આધારે પુરાવાઓને ધ્યાને લઈને મોરબીના ટીડીઓએ હાલમાં ત્રાજપરના સરપંચને સસ્પેન્ડ કર્યા છે

મોરબીમાં ત્રાજપર ગામની  સરપંચની ચુંટણીમાં કોંગ્રેસ પ્રેરિત સરપંચ જયંતિભાઈ માધુભાઈ વરાણીયા વિજેતા બન્યા હતા જો કેટ તેને ચાર સંતાન  છે અને તેને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું તેમાં સૌથી નાના દીકરાની જન્મ તારીખમાં ગોલમાલ કરી હતી જે અંગેની ૮ ડિસેમ્બરના રોજ હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સબરીયાના પત્ની જશુબેન પરસોતમભાઈ સબરીયા દ્વારા ચૂંટણી વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી અને કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, ૧૯ ડિસેમ્બરના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ફરિયાદી જશુબેન પરસોતમભાઈ સબરીયા અને જયંતિભાઈ માધુભાઈ વરાણીયા સામસામે ચૂંટણી લડ્યા હતા

જયંતિભાઈ માધુભાઈ વરાણીયાએ જે ફોર્મ ભર્યું હતું તેમાં ચાર સંતાનનો ઉલ્લેખ કર્યો છે પણ નાના સંતાનનો જન્મ 2004માં થયો હોવાનું દર્શાવ્યું હતું. જોકે પંચાયત અધિનયમ 2005ના અધિનયમ મુજબ બે કરતા વધુ બાળક હોય એ ઉમેદવાર ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. આથી જયંતિભાઈ માધુભાઈ વરાણીયાએ ચૂંટણી લડવા માટે પોતાના નાના સંતાનની જન્મ તારીખ છુપાવી હતી જેથી ટીડીઓ દ્વારા સરપંચને નોટિસ આપવામાં આવી હતી અને જન્મ નોંધણીના રજીસ્ટર સાથે તલાટી મંત્રીને પણ બોલાવીને તપાસ કરવામાં આવી હતી. જેમાં જન્મ રજીસ્ટર ચેક કરતા સરપંચના ચોથા દીકરાનો જન્મ ૨૦૦૫ પછી થયાનું સામે આવ્યું હતું. જેથી ગુજરાત પંચાયત અધિનયમ મુજબ ત્રાજપર ગામના સરપંચને ગેરલાયક ઠરતા ટીડીઓએ જયંતીભાઈ માધુભાઈ વરાણીયાને ઉમેદવારી ફોર્મમાં ખોટી માહિતી આપી હોવાથી હરીફ ઉમેદવારની રજુઆતને ધ્યાને લઈને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે






Latest News