મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત મોરબી-ટંકારામાં વિદેશી દારૂની પાંચ રેડ: 12 બોટલ દારૂ-બિયરના 6 ટીન કબ્જે વાંકાનેરમાં જુગારની રેડ પડતાં નાસભાગ મચી: 5 શખ્સો 73,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર મોરબી નજીક સિરામિક કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના જોગડ ગામે અસ્થિર મગજના યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE











હળવદના જોગડ ગામે અસ્થિર મગજના યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

હળવદ તાલુકાના જોગડ ગામે વિહોતનગરમાં રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના જોગડ ગામે વિહોતનગરની અંદર રહેતા નથુભાઈ મૂળજીભાઈ વાણીયા જાતે કોળી (ઉંમર ૪૫) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર નથુભાઈ મૂળજીભાઈને છેલ્લા ૨૦ વર્ષથી મગજની બીમારી હતી અને અસ્થિર મગજ હોય તેની સારવાર પણ ચાલી રહી હતી દરમિયાન તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી પોલીસને જાણવા મળી રહ્યું છે.






Latest News