સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં મણિમંદિર પાસેથી દરગાહનું ધાર્મિક દબાણ દૂર કરવા હેરિટેજ બચાવો સમિતિનું કલેક્ટરને અલ્ટિમેટમ


SHARE











મોરબીમાં મણિમંદિર પાસેથી દરગાહનું ધાર્મિક દબાણ દૂર કરવા હેરિટેજ બચાવો સમિતિનું કલેક્ટરને અલ્ટિમેટમ

મોરબી શહેરમાં આવેલ મણિમંદિર પાસે દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું છે જે દબાણો તોડી પાડવા માટે અગાઉ મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય તેમજ રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજારાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિવસ સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી અને અગાઉ હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને મણિમંદિર પાસે કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં પણ હજુ સુધી આ ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું નથી ત્યારે હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના કાજલબેન હિન્દુસ્તાની, કમલભાઈ દવે સહિતના યુવાનો દ્વારા મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યાં ધરણા યોજીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેની સાથોસાથ આગામી તા. ૨૨/૨/૨૦૨૨ સુધીમાં ગેરકાયદેસર કબજો દૂર કરવા માટે થઇને કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર સહિતના અધિકારીઓની રહેશે તેવી ચીમકી હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના યુવાનો દ્વારા ઉચ્ચારવામાં આવે છે






Latest News