ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના સરવડ પાસે કારખાનામાં ઉકળતા પાણીમાં દાઝી જવાથી યુવાનને સારવારમાં ખસેડાયો


SHARE







માળીયા(મી)ના સરવડ પાસે કારખાનામાં ઉકળતા પાણીમાં દાઝી જવાથી યુવાનને સારવારમાં ખસેડાયો


માળીયા મીયાણાના સરવડ ગામે સનવી જેલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ઉકળતા પાણીમાં દાઝી જવાથી યુવાનને સારવારમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના સરડવ ગામે સાનવી જેલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની અંદર કામ કરતાં સમયે ઉકળતા પાણીમાં દાઝી જવાથી ધીરજભાઈ જયેશભાઈ વસીયાણી (ઉંમર ૪૦) રહે. બોનીપાર્ક આશાપુરા ટાવર રવાપર ઘુનડા રોડ મોરબી વાળાને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન દાઝ્યો

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સનસ્ટીલ નામના કારખાનામાં મજૂરી કામ કરતાં અને ત્યાં રહેતા નંદપાંડે મલયપાંડે (ઉંમર ૨૨) કારખાનામાં તાપણું કરી રહ્યા હતા ત્યારે દાઝી જવાથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રાજપર અને ખાનપર રોડ ઉપરથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઇકને આડે કુતરુ ઉતરતા બાઇક ચાલક વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ ૨૫) હે ખાનપર વાળાને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. 

અકસ્માતમાં ઇજા 

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસેથી પસાર થઈ રહેલા શાંતિલાલ ડાયાભાઈ રડવા (ઉંમર ૫૫) રહે. યદુનંદન પાર્ક સનાળા રોડ મોરબી વાળાને વાહન અકસ્માતમાં ઈજા થઈ હોવાથી શાંતિભાઈને સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News