ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના સરવડ પાસે કારખાનામાં ઉકળતા પાણીમાં દાઝી જવાથી યુવાનને સારવારમાં ખસેડાયો


SHARE











માળીયા(મી)ના સરવડ પાસે કારખાનામાં ઉકળતા પાણીમાં દાઝી જવાથી યુવાનને સારવારમાં ખસેડાયો


માળીયા મીયાણાના સરવડ ગામે સનવી જેલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ઉકળતા પાણીમાં દાઝી જવાથી યુવાનને સારવારમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના સરડવ ગામે સાનવી જેલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની અંદર કામ કરતાં સમયે ઉકળતા પાણીમાં દાઝી જવાથી ધીરજભાઈ જયેશભાઈ વસીયાણી (ઉંમર ૪૦) રહે. બોનીપાર્ક આશાપુરા ટાવર રવાપર ઘુનડા રોડ મોરબી વાળાને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન દાઝ્યો

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સનસ્ટીલ નામના કારખાનામાં મજૂરી કામ કરતાં અને ત્યાં રહેતા નંદપાંડે મલયપાંડે (ઉંમર ૨૨) કારખાનામાં તાપણું કરી રહ્યા હતા ત્યારે દાઝી જવાથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રાજપર અને ખાનપર રોડ ઉપરથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઇકને આડે કુતરુ ઉતરતા બાઇક ચાલક વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ ૨૫) હે ખાનપર વાળાને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. 

અકસ્માતમાં ઇજા 

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસેથી પસાર થઈ રહેલા શાંતિલાલ ડાયાભાઈ રડવા (ઉંમર ૫૫) રહે. યદુનંદન પાર્ક સનાળા રોડ મોરબી વાળાને વાહન અકસ્માતમાં ઈજા થઈ હોવાથી શાંતિભાઈને સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News