મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે પાણીની નવી પાઇપલાઇનમાથી પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકશાન: વળતરની માંગ


SHARE







મોરબીના ભરતનગર પાસે પાણીની નવી પાઇપલાઇનમાથી પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકશાન: વળતરની માંગ

મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે નવી પાણીની પાઇપલાઇન પથરવામાં આવી રહી છે ત્યારે તે નવી લાઇનમાથી મોટા પ્રમાણમા પાણી બહાર નિકળ્યું હતું જેથી કરીને પાઇપ લાઇનની બાજુમાં આવેલ ૧૫ જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને ખેડૂતોના રવીપાર્કને મોટા પ્રમાણમા નુકશાન થયું છે જે મુદે કલેકટરને ખેડૂતોએ રજૂઆત કરેલ છે

 મોરબી તાલુકના ભરતનગર ગામ પાસે કેનાલની બાજુમાં નવી પાણીની પાઇપલાઇન પથરવામાં આવી રહી છે તે નવી લાઇનમાથી મોટા પ્રમાણમા પાણી બહાર નિકળ્યું હતું જેથી કરીને તે પાણી ખેતરોમાં ભરાઈ ગયું હતું જેથી કરીને ભરતનગર ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને આ મુદે રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા બ્રાહ્મણી- ડેમથી થી નવા સાદુળકા સુધી પાણીની પાઈપ લાઈન પથરવામાં આવેલ છે  જે નવી પાઈપલાઈનમાંથી પાણી છેલ્લા ચાર દિવસથી નીકળે છે અને તે પાણી ખેતરોમાં ફરી વળ્યા છે માટે પાકને નુકશાન થયું છે માટે ખેડૂતોએ વળતરની માંગણી કરેલ છે અને વળતરની માંગ સાથે હાલમાં કામ બંધ કરાવ્યુ છે






Latest News