મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના યુવાને છોટાઉદેપુર ખાતે ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું


SHARE











મોરબીના યુવાને છોટાઉદેપુર ખાતે ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ભીમસરમાં રહેતા યુવાને છોટાઉદેપુર જિલ્લાના શીશલીયા ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને યુવાનનું મોત નિપજતાં તેના મૃતદેહને અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતાં પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રો તરફથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલા વેજીટેબલ રોડ પાસેના ભીમસર વિસ્તારમાં રહેતા રવિ જેન્તીભાઈ કુંઢીયા જાતે દેવીપુજક નામના ૨૨ વર્ષીય પરણીત યુવાને છોટાઉદેપુર જિલ્લાના શીશલીયા ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નિપજતાં મૃતક રવિ કુંઢીયાના મૃતદેહને અહીં મોરબીની સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા મોરબી સીટી એ ડિવિજન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ છોટાઉદેપુરમાં બન્યો હોય તે સંદર્ભે છોટાઉદેપુર પોલીસને બનાવની જાણ કરી હોવાનું જાણવા મળે છે.

વધુમાં સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રવિ જેન્તીભાઈ કુંઢીયાએ પોતાના સસરા સાથે છોટાઉદેપુર જિલ્લામાં શીશલીયા ગામે ભાગમાં વાડી વાવવા માટે રાખી હતી અને તાજેતરમાં પડેલા વરસાદના લીધે ધંધામાં ખોટ જવાથી તે બાબતને લઈને ઝઘડો પણ થયો હતો.મૃતકના સસરા પક્ષ તરફથી મૃતકને ત્રાસ હોવાની ફરિયાદ મૃતકના પરિવારજનો તરફથી નોંધવામાં આવે તેવી હાલ શક્યતાઓ પણ જણાઈ રહી છે.હાલ મોરબી એ-ડિવીઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ અંગે આગળની તપાસ માટે બનાવ છોટાઉદેપુર વિસ્તારમાં બન્યો હોય ત્યાંની પોલીસને જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે.

નજીવી વાતે મારામારી

મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાસે રહેતા હનીફભાઇ ઉમરભાઈ ફકીર નામના ૩૨ વર્ષીય યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે પોલીસને જાણ થતા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખૂલ્યું હતું કે પ્યારૂભાઈ જગદીશ અને એક અજાણ્યો ઈસમ એમ બે લોકોએ હનીફભાઈ ફકીરને માર માર્યો હતો.બાદમાં હનીફભાઇએ તે બંને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેઓના દીકરાને સામેવાળા બંને હેરાન કરીને રોવડાવતા હોય "કેમ મારા દીકરાને રોવડાવો છો..?" તેમ કહેવા જતા વાત વાતમાં ઉશ્કેરાઇ જઇને તેમના ઉપર ઢીકાપાટુ વડે હુમલો કરીને મુઠ માર મારવામાં આવ્યો હતો.હાલ હનીફભાઈની ફરિયાદ ઉપરથી પ્યારૂભાઇ જગદીશભાઈ અને એક અજાણ્યા ઇસમ એમ બે સામે ફરિયાદ નોંધીને ુોલીસ દ્રારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News