મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ રણમલપુર જવાના રસ્તે રેલવે ફાટકે ઓવરબ્રિજ બનાવવા કરી માંગ


SHARE













મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા સીએમને રજૂઆત કરીને હળવદના રણમલપુર અને ટીકર જવાના માર્ગે રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા માટેની માંગ કરી છે કેમ કે, વારંવાર ફાટક બંધ થવાથી લોકોનો સમય બગાડે છે અને વાહન વ્યવહારમા પણ તકલીફો પડે છે

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાએ સીએમને રજૂઆત કરી છે કે, હળવદમાથી વીસથી વધારે ગામોના લોકોને જવાના રસ્તા ઉપર રેલવે ફાટક આવે છે વારંવાર બંધ થવાથી લોકોને હેરાન થવું પડે છે અને સ્મશાન ઘાટ પણ તે દીશામાં આવેલું હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે જેથી વહેલી તકે ઓવરબ્રિજ બનાવવા લોકની માંગ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, હળવદના રણમલપુર રોડ પર વેગડવાવ, નવા વેગડવાવ, લીલાપુર, બુટવડા, મંગળપુર, માલણીયાદ, રણમલપુર સહિતના ગામો તેમજ ટીકર રોડપર કીડી, અમરાપર, બોરડી , જોગડ, માનગઢ, અજીતગઢ, માયાપુર,ચાડધ્રા, ટીકર, ઘનશ્યામ ગઢ સહિતના ગામો આવેલા છે જેથી કરીને રેલવે ફાટક અવારનવાર બંધ રહેતા અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ, દર્દીઓ, વાહન ચાલકો હેરાન થાય છે ત્યારે લોકોની હેરાનગતિને દૂર કરવા માટે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે તે જરૂરી છે






Latest News