મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે મંદિરે રહેતી વૃધ્ધ મહિલાને શ્વાસ ચડ્યા બાદ મોત નીપજયું


SHARE











વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે મંદિરે રહેતી વૃધ્ધ મહિલાને શ્વાસ ચડ્યા બાદ મોત નીપજયું

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે આવેલ મંદિર નજીક રહેતા વૃધ્ધ મહિલાને શ્વાસ ચડ્યો હતો જેથી કરીને તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ વૃદ્ધ મહિલાને હોસ્પિટલના ડોક્ટર મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોકનાકા પાસે લીલાધર મંદિર નજીક રહેતા સુરજાબેન નુરજાભાઈ માલીધીન (૬૦) ને ગઈકાલે શ્વાસ ચડ્યો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં વાંકાનેરની સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સરકારી હોસ્પિટલના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યા હતા માટે આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માત

હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ એસ્ટ્રોન પેપર મીલ પાસેથી અજીતભાઈ કહેરભાઈ રાઠોડ (ઉંમર ૪૨) રહે. ઘનશ્યામપુર નવા પ્લોટ વિસ્તાર વાળા પોતાનું બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩૬ એલ ૯૩૩૬ ના ચલાકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અજીતભાઈ રાઠોડને ઇજાઓ થઇ હતી અને તેના બાઈકમાં પણ નુકસાન થયું હતું જેથી કરીને હાલમાં ભોગ બનેલા અજીતભાઈ રાઠોડે કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News