મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામુલ્યે ઘરે-હોસ્પિટલે ભોજન પહોચાડશે જય ગોપાલ ગ્રુપ


SHARE







વાંકાનેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામુલ્યે ઘરે-હોસ્પિટલે ભોજન પહોચાડશે જય ગોપાલ ગ્રુપ

(શાહરુખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાની અંદર પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે શહેરની અંદર કોરોના પોઝિટિવ દર્દીઓને તેઓના ઘરે અથવા તો જો કોઈ દર્દી હોસ્પિટલ હોય ત્યાં ભોજનની વ્યવસ્થા કરવાની હોય તો વાંકાનેર શહેરનું જય ગોપાલ ગ્રુપ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પુરી પાડશે

હાલમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે વાંકાનેર શહેરની અંદર જે કોઇ વ્યક્તિ કે પરિવારને કોરોના પોઝિટિવ હોય અને સંપૂર્ણ ફેમિલી જો હોમ કોરેંટાઈન હોય તો આવા પરિવારોને જમવા માટે મુશ્કેલી ન પડે તે હેતુ સાથે જય ગોપાલ ગ્રુપ વાળા નાગજીભાઈ મારા વાંકાનેર શહેરમાં હોમ કોરેંટાઈન હોય તેવા પરિવારને કે પછી હોસ્પિટલની અંદર હોય તેવા દર્દીઓને ભોજનની જરૂરિયાત હોય તો સાત્વિક ભોજન ફ્રી હોમ ડિલિવરી સાથે વાંકાનેર શહેરમાં પહોંચાડવામાં આવશે અને સવારે ચા તેમજ પરોઠા અને સવારે તેમજ સાંજે ભોજન આપવામાં આવશે જેથી આ સેવાની કોઈ પણને જરૂરિયાત હોય તો નાગજીભાઈ ગમારાના મોબાઈલ નં. ૯૦૯૯૯ ૦૯૨૨૮ ઉપર સંપર્ક કરવા તેઓએ જણાવ્યું છે






Latest News