મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામુલ્યે ઘરે-હોસ્પિટલે ભોજન પહોચાડશે જય ગોપાલ ગ્રુપ


SHARE











વાંકાનેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામુલ્યે ઘરે-હોસ્પિટલે ભોજન પહોચાડશે જય ગોપાલ ગ્રુપ

(શાહરુખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાની અંદર પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે શહેરની અંદર કોરોના પોઝિટિવ દર્દીઓને તેઓના ઘરે અથવા તો જો કોઈ દર્દી હોસ્પિટલ હોય ત્યાં ભોજનની વ્યવસ્થા કરવાની હોય તો વાંકાનેર શહેરનું જય ગોપાલ ગ્રુપ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પુરી પાડશે

હાલમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે વાંકાનેર શહેરની અંદર જે કોઇ વ્યક્તિ કે પરિવારને કોરોના પોઝિટિવ હોય અને સંપૂર્ણ ફેમિલી જો હોમ કોરેંટાઈન હોય તો આવા પરિવારોને જમવા માટે મુશ્કેલી ન પડે તે હેતુ સાથે જય ગોપાલ ગ્રુપ વાળા નાગજીભાઈ મારા વાંકાનેર શહેરમાં હોમ કોરેંટાઈન હોય તેવા પરિવારને કે પછી હોસ્પિટલની અંદર હોય તેવા દર્દીઓને ભોજનની જરૂરિયાત હોય તો સાત્વિક ભોજન ફ્રી હોમ ડિલિવરી સાથે વાંકાનેર શહેરમાં પહોંચાડવામાં આવશે અને સવારે ચા તેમજ પરોઠા અને સવારે તેમજ સાંજે ભોજન આપવામાં આવશે જેથી આ સેવાની કોઈ પણને જરૂરિયાત હોય તો નાગજીભાઈ ગમારાના મોબાઈલ નં. ૯૦૯૯૯ ૦૯૨૨૮ ઉપર સંપર્ક કરવા તેઓએ જણાવ્યું છે






Latest News