મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

આરોગ્ય તંત્રની કામગીરીથી લોકો ચોંકી ગયા: મોરબીમાં બીજો ડોઝ લેવામાં બાકી હોવા છતાં વેક્સિનેશન સર્ટીફિકેટ ઈશ્યુ !


SHARE











આરોગ્ય તંત્રની કામગીરીથી લોકો ચોંકી ગયા: મોરબીમાં બીજો ડોઝ લેવામાં બાકી હોવા છતાં વેક્સિનેશન સર્ટીફિકેટ ઈશ્યુ !

હાલમાં મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે ઘણા લોકોને કોરોના વેક્સિનેશનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તો પણ તેના નામના સર્ટી ઇસ્યુ થવા લાગ્યા છે જેથી કરીને મોરબીના આરોગ્ય વિભાગની કામગીરી જોઈને હાલમાં લોકો ચોંકી ગયા છે અને સરકારી આંકડ બતાવવા માટે આરોગ્ય વિભાગની ટિમ દ્વારા જે રીતે ખોટા સરિત આપવામાં આવી રહયા છે તે જોતા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી સામે જ સવાલો ઉઠવા લાગ્યા છે

મોરબીમાં દરરોજ લોકોને કોરોના વેક્સિન મૂકવા માટે જુદીજુદી જગ્યાઓ નક્કી કરીને વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે જો કે, મોરબીના ઉદ્યોગપતિ અને કોરોનાની બીજી લહેરમાં લોકોને વિના મૂલ્યે ઑક્સીજનની બોટલો પુરી પડનારા ટી.ડી.પટેલને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તો પણ તેના મોબાઇલમાં બીજો ડોઝ આપી દીધો હોવાનું સર્ટિફિકેટ આવી ગયું છે અને હવે તે કોરોના વેક્સિન લેવા માટે જાય તો તેને સરકારી ચોપડે વેક્સિન આપી દેવામાં આવી છે જેથી કરીને તે વેક્સિન મળશે કે કેમ તે પ્રશ્ન છે આવી જ રીતે ધર્મીષ્ટાબેન પ્રવીણભાઈ વ્યાસે પણ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધેલ નથી તો પણ તેને સરકારી ચોપડે વેક્સિન આપી દેવામાં આવી છે અને આવી જ રીતે ઘણા બધા લોકોને સરકારી ચોપડે સરકારી આંકડા મોટા બતાવવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે જો કે, આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારી કે પછી ટેકનિકલ ખામી જે હોય તે પરંતુ જે લોકોને વેક્સિન લીધા વગર જ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવી રહ્યા છે તેને ભવિષ્યમાં વાસ્તવિક રીતે વેક્સિન મૂકવામાં મુશ્કેલી પડે તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયાએ આ બેદરકારી માટે આરોગ્ય વિભાગના અધિકારીઓને જ જવાબદાર ગણાવ્યા છે.






Latest News