ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયાના જુના સુલતાનપુર ગામે જુગાર રમતા ત્રણ પકડાયા


SHARE











માળીયાના જુના સુલતાનપુર ગામે જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના જુના સુલતાનપુર ગામે સીમ વિસ્તારમાં ઘોડાધ્રોઇ નદીના કાંઠા પાસે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો છે તેવી મળેલ બાતમીને આધારે માળીયા પોલીસે ત્યાં રેડ કરતાં જાહેરમાં જુગાર રમી રબેલા સુરેશ ઉર્ફે ભગત વિઠ્ઠલ સીતાપરા કોળી (૪૩) રહે.સુલતાનપુર તા.માળીયા, વેરસી રણછોડ સનુરા કોળી (૩૬) રહે.સુલતાનપુર તા.માળીયા અને અકબર હારૂન પારેડી મિંયાણા (૩૦) રહે.ચીખલી તા.મીયાણાની રોકડા રૂપિયા ૮,૦૩૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે શિવપાર્ક વિસ્તારમાં રહેતો મુન્નાભાઈ અરવિંદભાઈ મકવાણા નામનો યુવાન તારીખ ૧૪ ના મકરસંક્રાંતિના રોજ તેના ફઈબાને ત્યાં માલીયાસણ ગામે ગયો હતો ત્યાં કોઈ બાબતે બોલાચાલી બાદ ઝઘડો થતાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા ઇજાગ્રસ્ત મુન્નાભાઈ અરવિંદભાઈ મકવાણાને રાજકોટની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું મોરબી સીટી બી ડિવિજન પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.બનાવ બાબતે રાજકોટ કુવાડવા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.જ્યારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે બે બાઇક સામસામે અથડાયા હતા જે બનાવમાં પ્રકાશ માધુભાઈ બામણીયા નામના ૩૪ વર્ષીય સોરીસો ચોકડી લખધીરપુર રોડ નજીક રહેતા મજુર યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.

મહિલા સારવારમાં

મોરબીના શનાળા રોડ જી.આઈ.ડી.સી પાસે આવેલી અરિહંત સોસાયટીમાં રહેતા ચાંદનીબેન ભાવેશભાઈ સોમૈયા નામની ૩૨ વર્ષીય મહિલા મોરબીના જી.આઈ.ડી.સી પાસે ગેસનો ફુગ્ગો લેવા માટે ઊભા હતા ત્યારે ગેસનો બાટલો ફાટતાં આગ લાગી જતાં ઈજાગ્રસ્ત ચાંદનીબેન સોમૈયાને અત્રેની નક્ષત્ર હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે જણાવ્યું છે.જે અંગે હાલ એચ.યુ.ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના નવલખી રોડ રણછોડનગર પાસે આવેલ બોખાની વાડી વિસ્તારમાં રહેતો દામજીભાઈ મૂળજીભાઈ નકુમ નામનો ૪૧ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે પંચાસર ચોકડી નજીક વાહન અકસ્માત સર્જાતાં ફેકચર જેવી ઇજાઓ સાથે દામજીભાઈ નકુમને અત્રેની મધુરમ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો.






Latest News