ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા અધિકારી-કર્મચારી ઉંધા માથે


SHARE











મોરબી પાલિકામાં વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા અધિકારી-કર્મચારી ઉંધા માથે

મોરબી પાલિકાનો ચાલુ નાણાકીય વર્ષનો લક્ષ્યાંક પૂરો કરવા માટે પાલિકાની તમામ શાખાના કર્મચારીઓને આગમી સોમવારથી વેરા વસુલાતની કામગીરીમાં જોતરવામાં આવશે અને ૨૫ હજાર કરતાં વધુ જે મિલકતનો વેરો બાકી હશે તેને નોટિસ આપવા માટેની કામગીરી આ ખાસ ટીમ દ્વારા કરવામાં આવશે જેમાં મૂકવામાં આવેલા કર્મચારીઓ સવારે તેની કામગીરી કરશે અને બપોર પછી વેરા વસૂલાતની કામગીરી કરશે

દરેક નાણાકીય વર્ષનો લક્ષ્યાંક માર્ચ માસમાં પૂરો કરવાનો હોય છે અને હવે માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યાં સુધી પાલિકામાં ૨૫ ટકા જેટલી જ વસૂલાત થયેલ છે જેથી કરીને બાકી રહેલી ૭૫ ટકા વસૂલાતને રિકવર કરવા માટે પાલિકા દ્વારા ખાસ ટીમો તૈયાર કરવામાં આવી છે અને આગામી સોમવારથી મોરબી પાલિકાના કર્મચારીઓની ખાસ ટીમો મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં જે આસામીનો ૨૫ હજાર કરતાં વધુ વેરો બાકી હોય તેની પાસેથી વેરો વસૂલવા માટેની કામગીરી કરશે અને વધુમાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના જણાવ્યુ છે કેમહાવેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અને પાલિકાના હદ વિસ્તારના તમામ મિલકત ધારકોને બાકી વેરા તાત્કાલિક ભરી વિકાસ કાર્યોમાં સહકાર આપે તે જરૂરી છે જે આસામીઓએ તેમના બાકી વેરા લાંબા સમયથી ભરેલા નથી તેના નામ સરનામા સાથે નગરપાલિકામાં નામ જોગ જાહેર સ્થળોએ નામો પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત બાકીદારોના નામોની યાદી અખબારમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવશે અને જે મિલકત ધારકો દ્વારા માંગણા નોટિસ આપવા છતાં વેરો ચૂકવવા દરકાર નથી લેવાતી તેના ભૂગર્ભ ગટર અને પાણી જોડાણ કાપી નાખવા સુધીના પગલાં પાલિકા દ્વારા લેવાં આવશે






Latest News