મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિપાંખિય સાધુ સમાજના પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ


SHARE













મોરબીમાં ત્રિપાંખિય સાધુ સમાજના પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ

મોરબીના પાડા પુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ત્રિપાંખિય સાધુ સમાજની મીટીંગ રાખવામાં આવી હતી અને માર્ગી સાધુ સમાજ, અતીત સાધુ સમાજ અને રામાનંદી સાધુ સમાજના આગેવાનોની સર્વસંમતિથી મૈત્રી સાધુ સમાજ એટલે કે ત્રિપાંખિય સાધુ સમાજની રચના કરવામાં આવે છે જેમાં ત્રિપાંખિય સાધુ સમાજના હોદ્દેદારોની બિન હરીફ કરવાનું વરણી કરવામાં આવેલ છે અને પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ (સુખરામ બાપુ) ઉપપ્રમુખ પદે દુધરેજીયા ચિરાગભાઈ દિનકરભાઇ, મહામંત્રી પદે ગોસ્વામી હેમાંગગિરી રાજેશગીરી, ખજાનચી પદે સરપદકીયા હાર્દિક દિલીપભાઈસહખજાનચી તરીકે તેજસગિરિ મગનગીરી ગોસ્વામીસલાહકાર તરીકે વૈષ્ણવ મનીષભાઈ શિવરામદાસનિમાવત દિનેશભાઈ સુખરામભાઇ અને ગોસ્વામી હંસગીરી ઓઘડગીરીની નિમણૂક કરવામાં આવેલ છે આ મિટિંગમાં ત્રિપાંખિય સાધુ સમાજના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ મીટીંગ પૂર્ણ થયા બાદ મંદિરમાં પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેવું નીલકંઠ મહાદેવ મંદિરના મહંત ગુલાબગીરી ગોસ્વામી જણાવેલ છે






Latest News