મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ


SHARE





મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ

મોરબીના આમરણ નજીકથી ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે આમરણ ગામ પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં ડાયવર્ઝન આપવામાં આવેલ છે જો કે, ખરાબ રસ્તા અને મોટા ખાડાના કારણે ટ્રકમાંથી કન્ટેનર રોડ સાઇડમાં પલ્ટી મારી ગયું હતુ. અને પાણીના પંપની દીવાલ અને કન્ટેઇનરમાં નુકસાન થયું હતુ. જો કે, આજે તે કન્ટેનરને ત્યાંથી લઈ જવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી જેથી આમરણ ગામ પાસે ટ્રાફિકજામ થઈ ગયો હતો.

મોરબીના આમરણ ગામ પાસે જે ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે ત્યાં ડાયવર્ઝનનો રસ્તો આપવામાં આવેલ છે અને તે રસ્તો ખરાબ હોવાથી અનેક વખત નાના મોટા અકસ્માત થાય છે અને તેના સમાચારો પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે તો પણ અધિકારી કે કોન્ટ્રાકટર દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી અને ખરાબ રસ્તાના કારણે થોડા દિવસો પહેલા મોરબીના આમરણ પાસે જામનગર રોડ ઉપર ટ્રકમાંથી કન્ટેનર રોડ સાઇડમાં પલ્ટી મારી ગયું હતુ. જે કન્ટેનરને ત્યાંથી લઈ જવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે આમરણ ગામ પાસે ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેથી કરીને વાહન ચાલકોને કલાકો સુધી હેરાન થવું પડ્યું હતું. અને વાહન ચાલકો કહેતા હતા કે, આ રસ્તો છ મહિનાથી ખરાબ છે. તો પણ અધિકારી કે કોન્ટ્રાકટર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેથી વહેલી તકે ડાયવર્ઝનનો રસ્તો રીપેર કરવામાં આવે તેવી માંગ ઊઠે છે.




Latest News