મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે સદાવ્રતમા સહયોગ આપી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો હાલાણી  પરિવાર


SHARE











મોરબી જલારામ મંદિર ખાતે સદાવ્રતમા સહયોગ આપી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો હાલાણી  પરિવાર

મોરબી જલારામ મંદિર ખાતે બપોર તેમજ સાંજનો ભોજન પ્રસાદ વિતરણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામા આવી રહ્યો છે ત્યારે મોરબીના હરીશભાઈ હાલાણી દ્વારા તેમના ભાઈ સ્વ.ભરતભાઈ મણીલાલ હાલાણીનુ તાજેતરમા અવસાન થતા  બપોરના પ્રસાદમા સહયોગ આપી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી છે. જેમા શુધ્ધ ઘીના મોહનથાળ સહીતની વાનગીઓ પીરસવામા આવી હતી. મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ પણ સ્વ.ભરતભાઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરવા મા આવે છે જેમાની વિશેષ સેવા છે બંને ટાઈમ સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ વિતરણ, મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ ક્યારેય પણ પહોંચ બુક લઈને બહાર ફાળો કરવા નિકળતા નથી. સર્વજ્ઞાતિય જલારામ ભક્તો તરફથી મળતા સ્વૈચ્છીક સહયોગથી વિવિધ સેવાકાર્યો વર્ષોથી પ્રદાન કરવામા આવે છે ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનોએ ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮ તથા હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫ નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવ્યુ છે.






Latest News