ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા


SHARE







વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા

 

વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમે બુલડોઝર અને અન્ય સાધનોની મદદથી રસ્તાઓ પર ઉભેલા લારી-ગલ્લા, રેકડીઓ અને કેબીન દુર કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન અનેક દબાણકર્તાઓમાં દોડધામ જોવા મળી હતી. માર્ગો પરથી દબાણ દુર થતા મુખ્ય રસ્તાઓ ખુલ્લા દેખાયા હતા.

જેના કારણે વાહન વ્યવહાર પણ વધુ સુગમ બન્યો હતો. નગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા  મુજબ, જાહેર  માર્ગો પરના ગેરકાયદે દબાણ દુર  કરીને નાગરિકોને અવરજવર માટે સરળતા ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.સ્થાનિક લોકોમાં કેટલાકે આ કાર્યવાહીનું સ્વાગત કર્યુ હતું જયારે કેટલાક અસરગ્રસ્તોએ પોતાના રોજગાર અંગે ચિંતા વ્યકત કરી હત. હાલ નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણમુકત માર્ગો જાળવી રાખવા માટે આગળ પણ જરૂરી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.






Latest News