મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત

મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન નથી જેથી મુસાફરો સહિતના લોકો હેરાન છે અને મહેન્દ્રનગર ચોકડીટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે ત્યાં સર્કલ બનાવવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર ગામે પાકું બસ સ્ટેશન નથી જેથી મુસાફરો સહિતના લોકોને હેરાન થવું પડે છે. અને ખાસ કરીને દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, વડીલો અને નોકરીયાત સહિતના લોકો બસની મુસાફરી કરે છે જેથી તેઓ બસની રાહ જોતા હોય છે તેઓને બસ માટે તડકા અને વરસાદમાં પણ ઊભા રહેવું પડે છે. જેથી બસ સ્ટેશન બનાવવામાં આવે અને ત્યાં મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા, પીવાના પાણી, લાઇટિંગ તથા અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં, મહેન્દ્રનગર ચોકડી પર વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનો ભય રહે છે. જેથી ત્યાં વિશાળ ટ્રાફિક સર્કલ બનાવવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવે તેવી પણ માંગ કરી છે.






Latest News