મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ


SHARE





મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા પરિવારની યુવતી થોડા દિવસ પહેલા ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળ્યા બાદ ઘરે પરત ફરેલ ન હોય પરિવારજન દ્વારા પોલીસને જાણ કરલામાં આવેલ છે.જેથી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ગુમ થયેલ યુવતીની શોધખોળ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ રાવતભાઇ રાઠોડ આહિર (૪૨) ધંધો ડ્રાઇવિંગ હાલ રહે.માર્કો વિલેજ સોસાયટી ઘુંટુ રોડ તા.જી.મોરબી મૂળ રહે.ખરેડા તા.જી.મોરબી એ જાહેર કર્યું હતું ક, ગત તા.૩૧-૫ ના બપોરના અઢી વાગ્યાના અરસામાં તેઓની દીકરી જાન્વીબેન ભરતભાઈ રાઠોડ (ઉંમર ૨૪) ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયેલ હતી.અને બાદમાં ઘરે પરત ફરેલ નથી. ઘરમેળે શોધખોળ કર્યા છતાં જાન્વીબેનનો કોઈ પતો લાગ્યો ન હોય હાલ ભરતભાઈ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમનોંધ દાખલ કરવામાં આવી છે. જેની તપાસ વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા હોય બનાવ સંદર્ભે કોઇને કંઇ જાણ હોય તો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અથવા તપાસ અધિકારી વિજયભાઈ મિયાત્રા મોબાઈલ નંબર ૯૯૨૫૬ ૪૫૪૯૪ ઉપર જાણ કરવા યાદીમાં જણાવાયેલ છે.

ગળેફાંસા ખાતા સારવારમાં

મોરબી એસપી રોડ કસ્તુરી એપાર્ટમેન્ટ નજીક રહેતા ઇગેરાજ ખડકનંદ પરિહાર નામના ૨૦ વર્ષના નેપાળી યુવાને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.જેથી તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા તન્વીર હબીબભાઈ કાજડીયા (૧૩) ને લીલાપર રોડ હોથી પીર દરગાહ નજીક કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક કાંતિનગર વિસ્તારમાં રહેતા ગુલનાઝબેન મુસ્તાકભાઈ નામની ૩૬ વર્ષીય મહિલાને ઘરે પતિ દ્વારા માર મારવામાં આવતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સરીફાબેન ફિરોજભાઈ માણેક નામની ૩૫ વર્ષીય મહિલા કોઈ કારણોસર ઘરે કપડાં ધોવાનું લિક્વિડ પી ગયા હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.




Latest News