હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ


SHARE







મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ

 

મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને નાગરિકોની સુરક્ષા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત રસ્તાઓ બંધ કરી વાહન વ્યવહાર કે લોકોની અવર જવર બંધ કરાવવામાં આવી છે.

જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાણીના પ્રવાહ કે રસ્તાની સ્થિતિને લીધે મોરબી તાલુકાનો મોરબી-ધરમપુર-સાદુળકા રોડ તથા આંદેરડા-વાંકડા રોડ, માળિયા તાલુકામાં એન.એચ. માળિયા એપ્રોચ રોડ તેમજ વાંકાનેર તાલુકામાં જાલી - દેરાળા-રાજસ્થળી રોડ, કાછિયાગાડા-ગાગિયાવાદર-રાજસ્થળી રોડ અને લુણસર-રાજસ્થળી રોડ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. અને વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકો અને ગ્રામજનોને સુરક્ષિત રહેવા, પાણીના ભારે પ્રવાહવાળા રસ્તાઓ પર સાહસ ન કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.

હળવદ-સરા રોડનો કોઝવે પાણી ફરી વળતા બંધ કરાયો


હળવદથી સરા તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે ઉપરથી પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોવાથી, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતી અર્થે સાવચેતીના ભાગરૂપે આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. અને વાહનચાલકો તથા સ્થાનિક નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા હળવદ થી કડિયાણા થઈને સરા તરફ જવાનો વૈકલ્પિક માર્ગ પૂરો પાડવામાં આવ્યો છે.






Latest News