મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત


SHARE







મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત

મોરબીમાં આવેલ આલાપાર્ક વિસ્તારમાં રહેતા આધેડને ભંગારના કારખાનામાં ભાગ રાખવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસેથી 1.13 કરોડ રૂપિયા મેળવવામાં આવ્યા હતા જોકે, આધેડને કારખાનામાં ભાગીદાર તરીકે લેવામાં આવ્યા ન હતા અને તેના પૈસા પણ તેને પાછા આપવામાં આવ્યા ન હતા આટલું નહીં પરંતુ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી હાલમાં આધેડે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મૂળ બીલીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ આલાપાર્ક શેરી નંબર 11માં રહેતા સંજયભાઈ અંબારામભાઈ સાણંદિયા (50)એ ગૌરવભાઈ જયંતીલાલ ડઢાણીયા રહે. આલાપાર્ક શેરી નંબર 3 મોરબી વાળા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ ભંગારના કારખાનામાં ભાગ રાખવાની ફરિયાદીને લાલચ આપી હતી અને ત્યારબાદ અલગ અલગ સમયે તેની પાસેથી કુલ મળીને 1.13 કરોડ રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને ફરિયાદીને ધંધામાં ભાગીદાર તરીકે રાખવામાં આવેલ નથી અને તેના 1.13 કરોડ રૂપિયા પરત પણ આપવામાં આવ્યા નથી આટલું નહીં પરંતુ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ફરિયાદીવિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News