મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત


SHARE







મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત

મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા વિરુદ્ધમાં કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેના દ્વારા વર્ગ વિગ્રહ થાય તેવા ભાષણો સભાઓમાં કરવામાં આવે છે અને પાટીદાર સમાજના યુવાનોને ઉશ્કેવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે

મોરબીના શનાળા રોડ આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી કલેક્ટર કચેરી સુધીની સર્વ હિન્દુ સમાજ દ્વારા બાઇક રેલી કરવામાં આવી હતી અને ત્યાર બાદ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને સમાજમાં વર્ગ વિગ્રહ થાય તેવા સભાઓમાં ભાષણો કરવામાં આવે છે અને પાટીદાર સમાજના યુવાનોને ઉશ્કેરે છે તેવો આક્ષેપો કર્યો છે અને બીએનએસ ની કલમ 196 મુજબ તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં આવેદનપત્ર આપવા માટે આવેલા આગેવાનો પૈકી આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટીના સભ્ય રામભાઈ ગોજીયાએ કહ્યું હતું કે, તાજેતરમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનોજ પનારા સહિત 7 શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાયેલ છે જો કે, હજુ સુધી તે ગુનામાં કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી. જેથી તાત્કાલિક તમામની ધરપકડ કરવાની તેવી માંગ કરી છે.






Latest News