મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન


SHARE







મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન

મોરબીમાં વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ (રામકો) દ્વારા દશાબ્દી નિમિત્તે તા. ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધી ત્રણ દિવસીય શ્રી કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથા દરરોજ રાત્રે ૮:૩૦ વાગ્યે ઉમા હોલશિવ મંદિર સામેરવાપરમોરબી ખાતે યોજાશે.

આ કથાના વક્તા દર્શનાચાર્ય આચાર્ય અજયજી આર્ય દ્વારા શ્રીકૃષ્ણના દિવ્ય જીવનચરિત્રભગવદ્ ગીતાધર્મકર્તવ્યજીવનમૂલ્યો તેમજ આધુનિક જીવનમાં આવતી વિવિધ સમસ્યાઓના વૈદિક ઉકેલો અંગે સરળ અને જીવનોપયોગી માર્ગદર્શન આપવામાં આવશે. આ કથા દ્વારા સામાજિકપારિવારિકઆધ્યાત્મિક અને રાષ્ટ્રીય જીવનમાં શ્રીકૃષ્ણના આદર્શોને જીવનમાં કેવી રીતે ઉતારી શકાય તે અંગે પ્રેરણાદાયી વિચાર રજૂ કરવામાં આવશે. વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ છેલ્લા દસ વર્ષથી મોરબીમાં નિયમિત વૈદિક યજ્ઞોનું આયોજન કરી વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું કાર્ય કરી રહી છે. આ સંસ્થાના દશાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત આ શ્રી કૃષ્ણ કથા સમગ્ર સમાજ માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રેરણાનું કેન્દ્ર બનશે. જેથી મોરબી શહેર તથા આસપાસના તમામ ધર્મપ્રેમી નાગરિકોને પરિવારજનો અને મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા આયોજક સંસ્થા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.






Latest News