મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી


SHARE







ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી

મોરબીના ખોખરા હનુમાન હરિહર કામ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાઈ, રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકો એ ગુરુ પૂજન, દર્શન અને સેવાનો લાભ લીધો

મોરબીના બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આજે પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજીની હાજરીમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એમપીના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીય સહિતના અનેક અનુયાયો ત્યાં આવ્યા હતા અને ગુરુપૂજન, ગુરુ સેવા અને ગુરુ દર્શનનો લાભ લીધો હતો.

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે દર વર્ષે પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એમપીના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજય વર્ગીય સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ગુરુ ભક્તો ત્યાં આવ્યા હતા અને ગુરુ પૂજન, ગુરુ સેવા અને ગુરુ દર્શનનો લાભ લીધો હતો આ તકે કનકેશ્વરી માતાજીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાનો દિવસ એ ગુરુ ભક્તો માટે એક દિવાળી નહીં પરંતુ એક હજાર દિવાળી જેવો હોય છે અને દિવાળી આવે કે સૂર્યોદય થાય ત્યારે માત્ર બહાર અજવાળા થાય છે પરંતુ વ્યક્તિની ભીતરના અજવાળા ગુરુ કૃપા કરે છે પછી જ થઈ અને ગુરુ વગર ભગવાન પણ પોતાને ભગવાન સાર્થક કરી શકતા નથી ત્યારે ગુરુપૂર્ણિમાના દિવસનું અનેક ગણું મહત્વ છે અને આ દિવસે ગુરુની વિશેષ કૃપા થતી હોય છે.

તો એમપીના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજય વર્ગીય જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 30 થી 35 વર્ષથી અહીંયા ગુરુપૂર્ણિમાએ દર્શન કરવા આવે છે અને વર્ષો પહેલાં તેઓ આવતા હતા ત્યારે ત્યાં આવવા માટેના રસ્તા પણ ખરાબ હતા અને ચારે બાજુ જંગલ હતું જોકે, હવે ખોખરા હનુમાન હરિહર ધામની જગ્યા જંગલમાં મંગલ સમાન બની ગઈ છે અને આપણે ત્યાં કહેવાય છે. "ગુરુ ગોવિંદ દોનો ખડે કા કો લાગુ પાઈ બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય" ગોવિંદ સુધી જવા માટેનો રસ્તો ગુરુ પાસે થઈને જાય છે.






Latest News