મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું


SHARE







રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

મોરબી જિલ્લા બાર એસોસિએશનના વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અલ્પિત રહ્યા હતા અને રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તેવી પ્રબળ માગણી સાથે જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો હાઇકોર્ટની બેન્ચ રાજકોટ ખાતે આપવામાં આવે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના પક્ષકારો, વકીલો સહિતના તમામ લોકોને મોટી રાહત મળી શકે તેમ છે જેથી કરીને રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં મોરબી જિલ્લામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

સમગ્ર સૌરાષ્ટ્રમાં જિલ્લા અને તાલુકા લેવલે આજે વકીલો દ્વારા રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની આગેવાની હેઠળ મોરબી બાર એસો. સાથે જોડાયેલા વકીલો કોર્ટ કાર્યવાહીથી અલ્પિત રહ્યા હતા અને મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાએ જણાવ્યું હતું કે અગાઉ રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ હતી પરંતુ તે બંધ થયા બાદ તેને શરૂ કરવામાં આવી ન હતી જો કે, રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ શરૂ કરવામાં આવે તો પક્ષકારો, વકીલો સહિતનાઓને હાલમાં ન્યાય મેળવવા માટે જે 300 કિલો મીટર સુધી આવું જવું પડતું હોય છે તેમાંથી રાહત મળે તેમ છે તેની સાથો સાથ સસ્તો અને સરળ ન્યાય આપવા માટેનો જે હેતુ છે તે હાલમાં સર થતો નથી જેથી રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તો લોકોને સસ્તો અને સરળ ન્યાય મળી શકે તેમ છે માટે રાજકોટ ખાતે વહેલામાં વહેલી તકે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે






Latest News