ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં


SHARE







વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં

મોરબીમાં રહેતી મહિલા બાઈકમાં બેસીને વાંકાનેરમાં મામલતદાર ઓફિસ પાસે રાજકોટ રોડ ઉપરથી પસાર થઈ હતી દરમિયાન તેઓના બાઈકની આડે ગાય આવતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહિલાને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મોરબીમાં ગઢની રાંગ વિસ્તારમાં રહેતા મુસ્કાનબેન કાસમભાઇ સોલંકી (23) નામના મહિલા ગત તા. 25/7 ના રોજ સાંજના સમયે બાઇકમાં બેસીને વાંકાનેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ મામલતદાર ઓફિસ સામે પચ્ચીસ વારીયા જકાતનાકાથી આગળના ભાગમાં પસાર થઈ રહી હતી ત્યારે તેઓના બાઈકની આડે રસ્તા ઉપર ગાય આવી ગઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહિલાને ઈજા થહોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદના નવા ધનાળા ગામે રહેતા નસિંગ (22) નામના યુવાનને રાપર ગામના પાટીયા પાસે માળિયા રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

આધેડને પથ્થર માર્યો

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા બાબુભાઈ સુરાભાઈ ખાંભલા (50) નામના આધેડને સનાળા પોલીસ ચોકી નજીક ધીરુભાઈ ગઢવી નામના રીક્ષા ચાલકે પથ્થર માર્યો હતો જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી અને રીક્ષાના પેસેન્જર બાબતે બોલાચાલી ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે.






Latest News